March 4, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

નવરાત્રિ દરમિયાન વરસાદથી બચવા સેલવાસમાં વોટરપ્રૂફ ડોમ સાથે ગરબા રમવાની વ્‍યવસ્‍થા ઉભી કરાઈ

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શ્રેષ્ઠ પ્‍લેટફોર્મ સાથે રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા સેલવાસમાં ‘‘થનગનાટ સિઝન-3” નવરાત્રી મહોત્‍સવનું ભવ્‍ય આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શ્રેષ્ઠ પ્‍લેટફોર્મ સાથે રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા સેલવાસમાં ‘‘થનગનાટ સિઝન-3” નવરાત્રી મહોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાંઆવ્‍યું છે.
છેલ્લા ત્રણ વર્ષથી રોટરી ક્‍લબ દ્વારા ગરબા ખેલૈયો માટે ડોમ બનાવી એક સુંદર પ્‍લેટફોર્મ આપવાની પરંપરા છે. જેથી ખેલૈયાઓને પણ રમવાનો આનંદ આવે છે, સાથે જ સેફટીનું પણ ધ્‍યાન રહે છે. દાદરા નગર હવેલી રોટરી ક્‍લબના પ્રેસિડન્‍ટ શ્રી રાજન સોલંકી દ્વારા જણાવાયું છે કે, ગરબા ખેલૈયોને કોઈપણ તકલીફ નહીં પડે એ માટે અમે ડોમ બનાવીએ છીએ, જેથી વરસાદથી બચી શકાય એ ગરબા ખેલૈયાઓને તકલીફ નહીં પડે. સેલવાસના ગરબા ખેલૈયાઓએ ટ્રેડીશનલ ગરબા રમવા માટે વાપી, વલસાડ કે દમણ સુધી લંબાવા પડતું હતું. પરંતુ હવે સેલવાસમાં વાપી તેમજ વલસાડથી ખેલૈયાઓ અહીં ગરબા રમવા આવે છે. ગરબા રમવા માટે સરસ પ્‍લેટફોર્મ પૂરૂં પાડવા બદલ ગરબા ખેલૈયાઓએ પણ રોટરી ક્‍લબનો આભાર માન્‍યો હતો.

Related posts

દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય કોરોના રસીકરણ અભિયાન પૂર્ણ

vartmanpravah

વાપી મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા 22મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ : પાટીદાર ઈલેવન ફાઈનલ વિજેતા: નાણાં-ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વિજેતા ટીમોને ટ્રોફી અર્પણ કરાઈ

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટીવના 69 કેસ નોંધાયાં : 418 એક્‍ટિવ કેસ

vartmanpravah

વાપીમાં ગેરેજમાં રિપેરીંગ બાદ કાર પેટ્રોલ ભરાવા ગઈ ત્‍યારે અચાનક પમ્‍પ ઉપર આગ લાગી

vartmanpravah

ધરમપુર જામનપાડા ફોરેસ્‍ટનાકા પાસે લક્‍ઝરી બસ પલટી

vartmanpravah

Leave a Comment