March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીના ઉત્ત્કર્ષ મંડળ દ્વારા ‘લીલોતરી પ્રોજેક્‍ટ’ અંતર્ગત જાગૃતતા સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.07: ‘‘સેવા પરમો ધર્મ”ને સાર્થક કરતા કાર્યો ઉત્‍કર્ષ મંડળ વર્ષોથી કરતી આવી છે. જરૂરિયાતમંદો માટે કાયમ ખડે પગે ઉભી રહેતુ ઉત્‍કર્ષ મંડળ વવિધ સેવાકીય પ્રોજેકટસ કરતું રહે છે. હાલમાં આ મંડળે લીલોતરી પ્રોજેક્‍ટ હાથ ધર્યો છે. જે અંતર્ગત ઘરના લીલા કચરામાંથી ઘરનું લીલુંખાતર બનાવી ઘરે જ કઈ રીતે કેમિકલરહિત શાકભાજી ઉગાડી શકાય એની વિસ્‍તળત માહિતી આપી જાગૃતતા ફેલાવી રહી છે. તારીખ 6 ઓક્‍ટોબર રવિવારે સાંજે 5.30 કલાકે દુધિયા તળાવ સ્‍થિત વિવાંતા એપાર્ટમેન્‍ટ ખાતે લીલોતરી પ્રોજેક્‍ટ વિશે મંડળના પ્રમુખ હરેશભાઈ એમ. વશી તેમજ પ્રજ્ઞા વૈદ્ય દ્વારા લીલા ખાતર અંગે તેમજ ઘરે શાકભાજી ઉગાડવા બાબતે વિસ્‍તૃત સમજણ આપવામાં આવી હતી. વિવાંતા એપાર્ટમેન્‍ટના રહીશોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. આ મંડળ સ્‍વચ્‍છ, સ્‍વાસ્‍થ્‍ય અને કુદરતમય જીવનના હોય મંત્ર સાથે આગળ વધી રહી છે તેમજ સફળતા પણ મળી રહી છે.

Related posts

વિધાનસભા સામાન્‍ય ચૂંટણીના નિરીક્ષણ અર્થે નવસારી જિલ્લામાં ઓબ્‍ઝર્વરોની નિમણૂંક કરવામાં આવી

vartmanpravah

વાપી નોટિફાઈડ બોર્ડની મિટિંગ યોજાઈ : સન 2024-25 માં હાઉસિંગ અને ઈન્‍ડસ્‍ટ્રીઝ માટે પામી દર 10 ટકા ઘટાડો થશે

vartmanpravah

સાંસદનિધિ અંતર્ગત રૂા.ર કરોડ 60 લાખના કામો સાથે દાનહની વિવિધ સમસ્‍યાઓ અને વિકાસલક્ષી મુદ્દાઓની સાંસદ કલાબેન ડેલકરે કલેક્‍ટરને કરેલી ધારદાર રજૂઆત

vartmanpravah

સમગ્ર ભારતમાં માહ્યાવંશી સમાજનું પ્રતિનિધિત્‍વ કરતી એકમાત્ર સંસ્‍થા માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે વિચાર-મંથન બેઠક યોજાઈ

vartmanpravah

વાપીમાં બે વર્ષથી સરેરાશ 100 ઈંચ વરસાદઃ 6 દિવસની સતત હેલી બાદ રવિવારે વરસાદે વિરામ લીધો

vartmanpravah

રખોલીમાં વાહનચાલકે ટક્કર મારતા અજાણ્‍યા યુવાનનું મોત

vartmanpravah

Leave a Comment