October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીના ઉત્ત્કર્ષ મંડળ દ્વારા ‘લીલોતરી પ્રોજેક્‍ટ’ અંતર્ગત જાગૃતતા સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.07: ‘‘સેવા પરમો ધર્મ”ને સાર્થક કરતા કાર્યો ઉત્‍કર્ષ મંડળ વર્ષોથી કરતી આવી છે. જરૂરિયાતમંદો માટે કાયમ ખડે પગે ઉભી રહેતુ ઉત્‍કર્ષ મંડળ વવિધ સેવાકીય પ્રોજેકટસ કરતું રહે છે. હાલમાં આ મંડળે લીલોતરી પ્રોજેક્‍ટ હાથ ધર્યો છે. જે અંતર્ગત ઘરના લીલા કચરામાંથી ઘરનું લીલુંખાતર બનાવી ઘરે જ કઈ રીતે કેમિકલરહિત શાકભાજી ઉગાડી શકાય એની વિસ્‍તળત માહિતી આપી જાગૃતતા ફેલાવી રહી છે. તારીખ 6 ઓક્‍ટોબર રવિવારે સાંજે 5.30 કલાકે દુધિયા તળાવ સ્‍થિત વિવાંતા એપાર્ટમેન્‍ટ ખાતે લીલોતરી પ્રોજેક્‍ટ વિશે મંડળના પ્રમુખ હરેશભાઈ એમ. વશી તેમજ પ્રજ્ઞા વૈદ્ય દ્વારા લીલા ખાતર અંગે તેમજ ઘરે શાકભાજી ઉગાડવા બાબતે વિસ્‍તૃત સમજણ આપવામાં આવી હતી. વિવાંતા એપાર્ટમેન્‍ટના રહીશોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. આ મંડળ સ્‍વચ્‍છ, સ્‍વાસ્‍થ્‍ય અને કુદરતમય જીવનના હોય મંત્ર સાથે આગળ વધી રહી છે તેમજ સફળતા પણ મળી રહી છે.

Related posts

શ્રી વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ દ્વારા દશેરા પર્વે શષા પૂજા અને સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ચાર દિવસીય દાનહ પ્રવાસનો મનન-મંથન અને ચિંતન સાથે આરંભ

vartmanpravah

ચીખલીના સમરોલી-કેસલી માર્ગ ઉપર નમી ગયેલા વીજપોલ અને વીજતારો જોખમી

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે લોકોને કરેલું આહ્‌વાન

vartmanpravah

નાની દમણ કોલેજ રોડ ઉપર થયેલ મારામારીના ગુનાના આરોપીઓને તા. ૨૧ સપ્ટે. સુધીના પોલીસ રિમાન્ડ

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણીની મત ગણતરી કરાડ પોલિટેક્‍નિક કોલેજ ખાતે નિર્ધારિત 04 જૂને થશે

vartmanpravah

Leave a Comment