Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીના ઉત્ત્કર્ષ મંડળ દ્વારા ‘લીલોતરી પ્રોજેક્‍ટ’ અંતર્ગત જાગૃતતા સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.07: ‘‘સેવા પરમો ધર્મ”ને સાર્થક કરતા કાર્યો ઉત્‍કર્ષ મંડળ વર્ષોથી કરતી આવી છે. જરૂરિયાતમંદો માટે કાયમ ખડે પગે ઉભી રહેતુ ઉત્‍કર્ષ મંડળ વવિધ સેવાકીય પ્રોજેકટસ કરતું રહે છે. હાલમાં આ મંડળે લીલોતરી પ્રોજેક્‍ટ હાથ ધર્યો છે. જે અંતર્ગત ઘરના લીલા કચરામાંથી ઘરનું લીલુંખાતર બનાવી ઘરે જ કઈ રીતે કેમિકલરહિત શાકભાજી ઉગાડી શકાય એની વિસ્‍તળત માહિતી આપી જાગૃતતા ફેલાવી રહી છે. તારીખ 6 ઓક્‍ટોબર રવિવારે સાંજે 5.30 કલાકે દુધિયા તળાવ સ્‍થિત વિવાંતા એપાર્ટમેન્‍ટ ખાતે લીલોતરી પ્રોજેક્‍ટ વિશે મંડળના પ્રમુખ હરેશભાઈ એમ. વશી તેમજ પ્રજ્ઞા વૈદ્ય દ્વારા લીલા ખાતર અંગે તેમજ ઘરે શાકભાજી ઉગાડવા બાબતે વિસ્‍તૃત સમજણ આપવામાં આવી હતી. વિવાંતા એપાર્ટમેન્‍ટના રહીશોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. આ મંડળ સ્‍વચ્‍છ, સ્‍વાસ્‍થ્‍ય અને કુદરતમય જીવનના હોય મંત્ર સાથે આગળ વધી રહી છે તેમજ સફળતા પણ મળી રહી છે.

Related posts

vartmanpravah

રિક્ષામાં દારૂ લઈ જતા ચાલક અને મહિલા કલસર બે માઈલ નજીક ઝડપાયા

vartmanpravah

દાનહ ભાજપ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

પારડીના કોટલાવ ખાતેથી કુટણખાનું ઝડપાયુ: ત્રણ લલનાને મુક્‍ત કરી, બે ગ્રાહક તથા સંચાલક મહિલાની ધરપકડ

vartmanpravah

દમણ વિજય માહ્યાવંશી મંડળ દ્વારા યોજાયો મફત નોટબૂક વિતરણ અને તેજસ્‍વી વિદ્યાર્થીઓના સન્‍માનનો સમારંભ

vartmanpravah

દીવમાં સીબીઆઈએ ‘ખોદ્યો ડુંગર, નીકળ્‍યો ઉંદર?’: ફિશરીઝ અધિકારી સુકર આંજણીના ઘરે સીબીઆઈ દરોડાનો ફલોપ શૉ..!

vartmanpravah

Leave a Comment