Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘સ્‍વચ્‍છતા હી સેવા’ના અભિયાન અંતર્ગત વાપી રેલવે સ્‍ટેશને ઈનરવ્‍હીલ ક્‍લબ ઓફ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: 2જી ઓગસ્‍ટ 2024ના રોજ ‘સ્‍વચ્‍છતા હી સેવા’ના અભિયાન હેઠળ વાપી રેલવે સ્‍ટેશન પર ઈનરવ્‍હીલ ક્‍લબ ઓફ વાપી દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. સીપીઆર ટ્રેનિંગ (કાર્ડિઓપ્‍લમીનરી) રીસક્‍સીટેશન- ડો. કવિતા અગ્રવાલ દ્વારા રેલવે સ્‍ટેશના સ્‍ટાફના સભ્‍યોને સીપીઆરની સાચી રીત ખુબ જ સરળ ભાષામાં સમજાવી અને આ રીતથી હાર્ટએટેકના દર્દીને કેવી રીતે મોતના મુખમાંથી ઉગારી શકાય એની સમજણ આપી હતી.
ર્લ્‍ીક્ક ફં દ્દં ર્ભ્‍શ્રીતદ્દશણૂ ના અભિયાન હેઠળ ઈનરવ્‍હીલ ક્‍લબના સભ્‍યોએ કોટનબેગનું વિતરણ કર્યું હતું. ઘરના ભીના કચરામાંથી ખાતર કેવી રીતે બનાવી શકાય એની માહિતીઈનરવ્‍હીલ સભ્‍ય વિજયાબેન પટેલે આપી ઘરને કેવી રીતે ઝીરો વેસ્‍ટ બનાવવા માટેની સમજણ આપી હતી.
રેલવેના સુપ્રિટેન્‍ડન્‍ટ અમૃતભાઈ, ડેપ્‍યુટી સુપ્રિટેન્‍ડન્‍ટ રોહન ધામી તથા પાસ્‍ટ સુપ્રિટેન્‍ડન્‍ટ પ્રદીપ આહિરની મહેનતથી આ પ્રોજેક્‍ટ સફળ રહ્યો હતો.
રેલવે પ્‍લેટફોર્મને સાફ રાખવા માટે સફાઈની કીટ પણ ઈનરવ્‍હીલ ક્‍લબ તરફથી આપવામાં આવી હતી. રેલવે સ્‍ટેશનની દિવાલો પર ઈનરવ્‍હીલ ક્‍લબ ઓફ વાપી તરફથી પ થી 6 પેઈન્‍ટિંગ કરી આપવામાં આવ્‍યા હતા જેથી મુસાફરોમાં રેલવે, રેલવે પ્‍લેટફોર્મ સ્‍વચ્‍છ રાખવા, ટિકિટ વગર યાત્રા ન કરવા, જીવન સ્‍વસ્‍થ અને સ્‍વચ્‍છ રાખવા તથા પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ ન કરવા બાબતની જાગૃતિ આવે.
પ્રેસિડેન્‍ટ અનિતા ગુપ્તા, સેક્રેટરી ગુણમાલા કાકરીયા તથા ઈનરવ્‍હીલ ક્‍લબ ઓફ વાપીના અન્‍ય સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કોરોનાના પ્રવેશને રોકવા સંઘપ્રદેશની હોસ્‍પિટલોમાં યોજાઈ મોકડ્રિલઃ ઈમરજન્‍સી ચિકિત્‍સા સંસાધનોનું કરવામાં આવ્‍યું નિરીક્ષણ

vartmanpravah

વાપી વાઈબ્રન્‍ટ ઈન્‍ડસ્‍ટ્રીયલ વસાહત કંપનીમાં ચોરી : 40 કીલોની ડિજિટલ તિજોરી ઉપાડી ગયા

vartmanpravah

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કરાયેલી અપીલ

vartmanpravah

દાદરા નગર હવેલી રોટરી ક્‍લબ દ્વારા આંબોલીમાં 27મીના રવિવારે આંખોની નિદાન શિબિર યોજાશે

vartmanpravah

સેલવાસના સાંઈધામ સોસાયટીમાંથી પાંચમા માળેથી યુવતીએ છલાંગ લગાવતા ઈજા થતાં સારવાર હેઠળ

vartmanpravah

નવસારીની નિરાલી કેન્‍સર હોસ્‍પિટલમાં ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સ વિભાગનો શુભારંભ

vartmanpravah

Leave a Comment