Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર લીકર એમોનિયા ભરેલુ ટેન્‍કર પલટી મારી જતાઅફરા તફરી મચી ગઈ

ચાલક ઘાયલ : ત્રણ ક્રેઈનની મદદથી ટેન્‍કરને તાબડતોબ પૂર્વવત કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વલસાડ હાઈવે ઉપર ભાગ્‍યે જ કોઈ દિવસ પસાર થતો નથી કે અકસ્‍માત ના સર્જાયો હોય. અતુલથી ડુંગરી સુધીનો હાઈવે અકસ્‍માત ઝોન બની ગયો છે. આજે બુધવારે સવારે વધુ એક અકસ્‍માત ધરમપુર ચોકડી ઉપર સર્જાયો હતો. સુરતથી લીકર એમોનિયા ભરેલુ ટેન્‍કર વાપી તરફ જઈ રહ્યું હતું ત્‍યારે ડીવાઈડર સાથે ભટકાઈ ટેન્‍કર પલટી મારી ગયું હતું. અકસ્‍માતને લઈ અફરા તફરી સર્જાઈ હતી. વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઉપર આજે સુરતથી ટેન્‍કર નં.જીજે 15 એવી 3568 લીકર એમોનિયા ભરીને વાપી ડીલેવરી કરવા જતું હતું ત્‍યારે ચાલકે સ્‍ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ટેન્‍કર ડીવાઈડર સાથે ભટકાઈ પલરી માટી ગયું હતું. અકસ્‍માતમાં ડ્રાઈવર ઘાયલ થયો હતો. તેને સારવાર માટે ખસેડાયો હતો. લીકર એમોનિયા હવામાં ફેલાયો હોત તો મોટી હોનારત સર્જાઈ શકે એમ હતી પરંતુ ત્રણ ક્રેઈનની મદદથી પોલીસ અને ફાયરની ટીમે ટેન્‍કરને પૂર્વવત ઉભુ કરી દેવાતા લોકોએ હાશકારો અનુભવ્‍યો હતો. કારણ કે એમોનિયા વાયુ શ્વાસમાં જાય તો રુંધામણ અનુભવાય છે.

Related posts

ધરમપુર પીપળોદ ગામે આદિવાસીઓ દ્વારા પરંપરાગત વરસાદી દેવની પૂજા કરાઈ

vartmanpravah

દાનહમાં બી.એસ.સી. અને નર્સિંગ કોલેજમાં એડમિશન નહીં મળતાં વિદ્યાર્થીનીઓએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ખાનવેલના ભગતપાડામાં વિશેષ રેવન્‍યુ શિબિરનું કરાયું આયોજન

vartmanpravah

પ્રદેશમાં નવા રોકાણકારોને આકર્ષવા સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પ્રદેશના 70થી વધુ ઉદ્યોગોને સબસીડી સહાય પુરી પાડવા લીધેલો મહત્‍વનો નિર્ણય

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી ઉપર બાઈકમાં આગ લાગી : બનાવ બાદ ચાલક ફરાર : બાઈક ચાલક કોણ હતો તેની પોલીસે તપાસ હાથ ધરી હતી

vartmanpravah

સલવાવ ગુરુકુળનાકપિલ સ્‍વામીએ સંપ્રદાયના હિતમાં નિવેદન આપ્‍યુ

vartmanpravah

Leave a Comment