April 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના ઓલગામમાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ તાલુકાના ઓલગામ ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આત્મા પ્રોજેક્ટના વલસાડ તાલુકાના બીટીએમ (બ્લોક ટેકનોલોજી મેનેજર) કેવલ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીની વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી, જેમાં પ્રાકૃતિક ખેતીના પાંચ આયામ (૧) જીવામૃત, (૨) બીજામૃત, (૩) આચ્છાદન, (૪) વાફ્સા અને (૫) મિશ્ર પાક પધ્ધતિ વિશે સમજ આપી હતી. પ્રાકૃતિક ખેતીમાં રોગ જીવાત થાય તો તેવી રીતે નિયંત્રણ કરવુ તે માટે દશપર્ણી અર્ક, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિઅસ્ત્રની માહિતી આપી હતી. બાગાયત ખાતાના વલસાડ તાલુકાના બાગાયત અધિકારી ડો.વિશાલ ગાર્ગે અને ઉમરગામ તાલુકાના બાગાયત અધિકારી મોહિનીબેન દ્વારા મહિલા સશક્તિકરણ હેતુ પ્રાકૃતિક ખેતીમાં મૂલ્યવર્ધનની તાલીમ આપવામાં આવી હતી. બાદમાં ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી પણ થઈ હતી.

Related posts

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા, નરોલી ખાતે યોજાયેલી પ્રશ્નમંચ સ્‍પર્ધા

vartmanpravah

સુરંગી પંચાયતમાં રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ગાયનોકોલોજી વિભાગના સર્જનોને મળી વધુ એક સફળતા

vartmanpravah

વાપીમાં નવો સોલર એનર્જીનો અધ્‍યાય શરૂ થયો: મહાવીર સોલર પેનલ ડિસ્‍ટ્રીબ્‍યુશન બ્રાન્‍ચનો આરંભ

vartmanpravah

હોટલ રિવાન્‍ટાના સભાખંડમાં દમણ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓને રાષ્‍ટ્રીય મહામંત્રી અને સદસ્‍યતા અભિયાનના સંયોજક વિનોદ તાવડેએ આપેલું માર્ગદર્શન

vartmanpravah

સરીગામમાં ધારાસભ્‍ય રમણભાઈ પાટકરનો ભવ્‍ય સત્‍કાર સમારંભ યોજાયો

vartmanpravah

Leave a Comment