December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના ઓલગામમાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ તાલુકાના ઓલગામ ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આત્મા પ્રોજેક્ટના વલસાડ તાલુકાના બીટીએમ (બ્લોક ટેકનોલોજી મેનેજર) કેવલ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીની વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી, જેમાં પ્રાકૃતિક ખેતીના પાંચ આયામ (૧) જીવામૃત, (૨) બીજામૃત, (૩) આચ્છાદન, (૪) વાફ્સા અને (૫) મિશ્ર પાક પધ્ધતિ વિશે સમજ આપી હતી. પ્રાકૃતિક ખેતીમાં રોગ જીવાત થાય તો તેવી રીતે નિયંત્રણ કરવુ તે માટે દશપર્ણી અર્ક, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિઅસ્ત્રની માહિતી આપી હતી. બાગાયત ખાતાના વલસાડ તાલુકાના બાગાયત અધિકારી ડો.વિશાલ ગાર્ગે અને ઉમરગામ તાલુકાના બાગાયત અધિકારી મોહિનીબેન દ્વારા મહિલા સશક્તિકરણ હેતુ પ્રાકૃતિક ખેતીમાં મૂલ્યવર્ધનની તાલીમ આપવામાં આવી હતી. બાદમાં ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી પણ થઈ હતી.

Related posts

વાપી કરવડમાં નવનિર્માણ થતી પ્‍લાસ્‍ટીક કંપનીમાં આગ લાગી : લાખોના મશીન-સરસામાન ખાખ

vartmanpravah

હાઈવે ઓથોરિટીના બેદરકારીભર્યા કારભાર વચ્‍ચે થાલા નેશનલ હાઈવે સર્વિસ રોડ પર ઉભરાતી ગટરની ગંદકી અને મસમોટા ખાડાઓથી સ્‍થાનિકો અને વાહન ચાલકો ત્રાહિમામ્‌

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસના આદિવાસી ભવનની લીધેલી આકસ્‍મિક મુલાકાત: અધિકારીઓને આપેલું જરૂરી માર્ગદર્શન

vartmanpravah

ડૉ. મનસુખ માંડવિયા 5-7 મે, 2022, ગુજરાતના કેવડિયા ખાતે ત્રણ દિવસીય “સ્વસ્થ ચિંતન શિબિર” ની અધ્યક્ષતા કરશે: રાજ્યના આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રીઓ ભાગ લેશે

vartmanpravah

વાપી વીઆઈએ નજીક ઈલેક્‍ટ્રીકની દુકાનમાં આગ લાગી

vartmanpravah

દમણમાં 15, દાનહમાં 12 અને દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment