Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ-નરોલી રોડ સ્‍વામિનારાયણ મંદિર પાછળ દમણગંગા નદી કિનારે દશેરાના દા’ડે મોપેડ ધોવા ગયેલા યુવાનનો પગ લપસી જતાંપાણીમાં ડૂબી જતાં થયેલું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: શનિવારે દશેરાના દિવસે સેલવાસ નરોલી રોડ સ્‍વામિનારાયણ મંદિર પાછળ દમણગંગા નદી કિનારે એક યુવાન પોતાની મોપેડ ધોઈ રહ્યા તે સમયે તેનો પગ લપસી જતાં પાણીમાં ગરકાવ થતાં ડૂબી ગયો હતો. નદીના પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નીતીશ યાદવ રહેવાસી પીપરીયા, સેલવાસ અને મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ. જે એના મિત્ર સાથે શનિવારે દશેરા દિવસે સવારે 11:00 વાગ્‍યાના સુમારે પોતાનું જ્‍યુપીટર મોપેડ લઈને સેલવાસ-નરોલી રોડ અથાલ સ્‍વામિનારાયણ મંદિર પાછળ દમણગંગા નદીના જૂના પુલ પાસે મોપેડ ધોઈ રહ્યો હતો તે સમયે યુવાન નીતિશ યાદવનો અચાનક પગ લપસી ગયો હતો અને તે નદીના ઊંડા પાણીમાં જતો રહ્યો હતો. નીતિશને ડૂબતો જોઈ એના મિત્રએ થોડે દૂર સુધી શોધવાનો પ્રયાસ કર્યો હતો, પણ નીતીશનો ક્‍યાંય પત્તો લાગ્‍યો નહીં હતો. ત્‍યારબાદ નીતિશ યાદવના મિત્રએ તેના પરિવારને તેમજ ફાયર અને પોલીસ વિભાગને ફોન કરી ઘટના અંગેની જાણ કરી હતી. ફાયરની ટીમે તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી યુવાનને શોધવાની તજવીજ હાથ ધરી હતી, પણ મળી આવેલ નહિ. સાંજે 6:00 વાગ્‍યાના સુમારે ફાયર વિભાગના લાશ્‍કરોની કઠીણ મહેનત બાદયુવાનની લાશ મળી આવી હતી.
ત્‍યારબાદ પોલીસે નીતિશ યાદવની લાશનો કબ્‍જો લીધો હતો અને પોસ્‍ટમોર્ટમ માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં મોકલી આપી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ નરોલી પોલીસ કરી રહી છે.

Related posts

વલસાડ જિલ્લો ડેંગ્‍યુના ભરડામાં, 7 મહિનામાં 77 દર્દી પોઝિટીવ : 1019 શંકાસ્‍પદ કેસ નોંધાયા

vartmanpravah

કરમબેલા પંચાયતનું બજેટ નામંજૂર વિકાસના કામમાં સરપંચના મનસ્‍વી વલણ સામે ઉપસરપંચ સહિત બહુમતી છ સભ્‍યોએ નોંધાવેલો વિરોધ

vartmanpravah

પીપરીયા રીક્ષા સ્‍ટેન્‍ડ નજીકના કાળી માતા મંદિરને સેલવાસ ન.પા. દ્વારા પોલીસ બંદોબસ્‍ત સાથે હટાવ્‍યું

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની ૨૦૦ મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

સેલવાસના એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયેલ શખ્‍સનો કાર્ડ બદલી ઠગે પૈસા ઉપાડી લીધા

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારત માતાનું પૂજન અને શહીદ પરિવારોના સન્‍માનના કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

Leave a Comment