Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર આરએસએસદ્વારા વિજયાદશમી ઉત્‍સવ નિમિત્તે નગરમાં પથ સંચલન યોજાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.13: ધરમપુર તાલુકા રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્‍સવ નિમિત્તે નગરમાં શિસ્‍તબધ્‍ધ રીતે યોજાયેલા પંથ સંચલનનું પુષ્‍પવર્ષા સાથે ભવ્‍ય સ્‍વાગત કરાયું હતું. પથ સંચલન બાદ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પરિસરમાં યોજાયેલા જાહેર કાર્યક્રમમાં શિસ્‍તબધ્‍ધ, ગણવેશધારી સ્‍વયંસેવકોનાં વ્‍યાયામ યોગ અને સામૂહિક સમતા જેવા શારીરિક કાર્યક્રમો થયા હતા. બાદ સ્‍વયંસેવકો દ્વારા શષાપૂજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે રામકળષ્‍ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્‍ટનાં ચેરમેનશ્રી ડો.દોલતભાઈ દેસાઈએ ભારતના રાષ્‍ટ્રીય આદર્શ ત્‍યાગ અને સેવાના ગુણોનો વિકાસ કરવા અને દરિદ્રનારાયણને મુખ્‍ય દેવ ગણી સૌની સેવા કરવા અનુરોધ કર્યો હતો બાદ અને મુખ્‍ય વક્‍તવ્‍ય આર.એસ.એસ.ના વલસાડ જિલ્લાના મા.સંઘચાલક શ્રી આનંદભાઈ પીનપૂટકર દ્વારા પણ આર.એસ.એસ. આ મૂળભૂત સેવના સિદ્ધાંતોને આજના યુવાનોએ કેવી રીતે ગ્રહણ કરવા જોઈએ એની વિગતે સમજ આપી હતી. આ ઉપરાંત દરેક યુગની અંદર ભગવાનના અવતાર પ્રયોજનનું મહત્‍વ સમજવ્‍યું હતું.
આ ઉત્‍સવમાં મોટી સંખ્‍યામાં સ્‍વયંસેવકો તથા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા, અંતે ‘‘માં ભારતી”નેપરમ વૈભવ લઈ જવાના સંકલ્‍પ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આ પ્રસંગે મનસુખભાઇ વાવડીયા, મહેભાઈ પટેલ, સમીપ રાંચ, સંજય રાંચ, ડો. હેમંત પટેલ, વસંતભાઈ કોટક, ઉદયભાઈ પટેલ, હેમંતભાઈ કંસારા, અમિત ચોલેરા, પીએસઆઈ એન.ઝેડ. ભોયા વિશેષ મહાનુભાવો વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ અને દાનહના એસ.પી.ની આંતરિક બદલીઃ દમણના એસ.પી. તરીકે રાજેન્‍દ્ર મીણા અને દાનહમાં અમિત શર્મા

vartmanpravah

વલસાડ હમસફર ટ્રેનમાં લાગેલી આગનીઘટનાની તપાસ રેલવે એફ.એસ.એલ.ની ટીમ દ્વારા હાથ ધરાઈ

vartmanpravah

સમગ્ર દમણ રામમય બન્‍યુ : ભગવાન રામની શોભાયાત્રામાં ઉમટેલો માનવ મહેરામણ: ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રાનું કરાયેલું સન્‍માન : રામરાજ્‍યના જયઘોષની આહલેખ

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં કેરીના વેપાર માટે જગ્‍યા ભાડે રાખવા એનઓસી આપવા માટે રૂા.1પ હજારની લાંચ લેતા નવસારી એસીબીએ એકને રંગે હાથ ઝડપી લઈ ઈન્‍ચાર્જ સરપંચ સહિત બંનેની કરેલી ધરપકડ

vartmanpravah

રોટરી ક્‍લબ દમણે જરૂરિયાતમંદ ફેરિયાઓને તડકા અને વરસાદ સામે રક્ષણ માટે આપેલો ‘રોટરીનો છાંયડો’

vartmanpravah

રૂ. ૬૧ કરોડના ખર્ચે તૈયાર બગવાડા રેલવે ઓવરબ્રિજનું રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

vartmanpravah

Leave a Comment