October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર આરએસએસદ્વારા વિજયાદશમી ઉત્‍સવ નિમિત્તે નગરમાં પથ સંચલન યોજાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.13: ધરમપુર તાલુકા રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્‍સવ નિમિત્તે નગરમાં શિસ્‍તબધ્‍ધ રીતે યોજાયેલા પંથ સંચલનનું પુષ્‍પવર્ષા સાથે ભવ્‍ય સ્‍વાગત કરાયું હતું. પથ સંચલન બાદ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પરિસરમાં યોજાયેલા જાહેર કાર્યક્રમમાં શિસ્‍તબધ્‍ધ, ગણવેશધારી સ્‍વયંસેવકોનાં વ્‍યાયામ યોગ અને સામૂહિક સમતા જેવા શારીરિક કાર્યક્રમો થયા હતા. બાદ સ્‍વયંસેવકો દ્વારા શષાપૂજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે રામકળષ્‍ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્‍ટનાં ચેરમેનશ્રી ડો.દોલતભાઈ દેસાઈએ ભારતના રાષ્‍ટ્રીય આદર્શ ત્‍યાગ અને સેવાના ગુણોનો વિકાસ કરવા અને દરિદ્રનારાયણને મુખ્‍ય દેવ ગણી સૌની સેવા કરવા અનુરોધ કર્યો હતો બાદ અને મુખ્‍ય વક્‍તવ્‍ય આર.એસ.એસ.ના વલસાડ જિલ્લાના મા.સંઘચાલક શ્રી આનંદભાઈ પીનપૂટકર દ્વારા પણ આર.એસ.એસ. આ મૂળભૂત સેવના સિદ્ધાંતોને આજના યુવાનોએ કેવી રીતે ગ્રહણ કરવા જોઈએ એની વિગતે સમજ આપી હતી. આ ઉપરાંત દરેક યુગની અંદર ભગવાનના અવતાર પ્રયોજનનું મહત્‍વ સમજવ્‍યું હતું.
આ ઉત્‍સવમાં મોટી સંખ્‍યામાં સ્‍વયંસેવકો તથા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા, અંતે ‘‘માં ભારતી”નેપરમ વૈભવ લઈ જવાના સંકલ્‍પ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આ પ્રસંગે મનસુખભાઇ વાવડીયા, મહેભાઈ પટેલ, સમીપ રાંચ, સંજય રાંચ, ડો. હેમંત પટેલ, વસંતભાઈ કોટક, ઉદયભાઈ પટેલ, હેમંતભાઈ કંસારા, અમિત ચોલેરા, પીએસઆઈ એન.ઝેડ. ભોયા વિશેષ મહાનુભાવો વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી પાલિકા સામાન્‍ય સભામાં રોડ રસ્‍તાની ઉભી થયેલ બબાલ બાદ પેવર બ્‍લોક નાખવાની કામગીરી શરૂ

vartmanpravah

દમણ જિલ્લાનું ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ આપત્તિના સામના માટે સજ્જ : એનડીઆરએફ અને કોસ્‍ટ ગાર્ડ સાથે સફળ સંકલન

vartmanpravah

સાયલી નહેર નજીકથી મળી આવેલી લાશ પ્રકરણમાં દાનહ પોલીસે ત્રણ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

વાપી સલવાવ ફાર્મસી કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વિદેશ માટેની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતોના પ્રમુખ-ઉપ પ્રમુખની પસંદગી ભાજપ હાઈકમાન્‍ડ માટે પણ અગ્નિ પરીક્ષા

vartmanpravah

ગત સપ્તાહે દિલ્‍હીની મુલાકાતે આવેલા માલદીવ્‍સના રાષ્‍ટ્રપતિની સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ઉપસ્‍થિતિમાં લીધેલી સૌજન્‍ય મુલાકાત

vartmanpravah

Leave a Comment