October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ફડવેલમાં કેબલ વાયર રિપેરીંગ સમયે વીજ કંપનીના રાનકુવા સબ ડિવિઝનના આસિસ્‍ટન્‍ટ લાઈનમેનને કરંટ લાગતા મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ રવિવારના રોજ ફડવેલ ગામે જીઇબીનો થાંભલો તૂટી ગયેલ હોય સાંજના સાડા સાતેક વાગ્‍યાના અરસામાં ડિજિબીસીએલના રાનકુવા સબ ડિવિઝનમાં આસિસ્‍ટન્‍ટ લાઈનમેન તરીકે ફરજ બજાવતા નીતિનભાઈ નગીનભાઈ રાઠોડ (ઉ.વ-48) (રહે.દેવધા પુણામી સ્‍ટ્રીટ તા.ગણદેવી જી.નવસારી) કેબલ વાયરનું રીપેરીંગ કરી રહ્યા હતા. ત્‍યારે તેમને વીજ કરંટ લાગતા પ્રથમ રાનકુવાની ખાનગી અને ત્‍યાંથી આલીપોરની હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. બાદમાં ચીખલીની સ્‍પંદન હોસ્‍પિટલમાં લાવતા ત્‍યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
બનાવનેપગલે મોટી સંખ્‍યામાં વીજ કંપનીના કર્મચારીઓ હોસ્‍પિટલ ખાતે એકત્ર થઈ ગયા હતા. અને સાથી કર્મચારીના મોતથી સમગ્ર વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
બનાવ અંગે મરનારના ભાઈ શશીકાંત નગીનલાલ રાઠોડે (રહે.અમલસાડ પલ એપાર્ટમેન્‍ટ તા.ગણદેવી જી.નવસારી) ની ફરિયાદમાં પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વલસાડ ધમડાચી હાઈવે ઉપર ટી.આર.બી. જવાન પટકાયો, સારવાર માટે સુરત ખસેડયો : ગુંદલાવના લોકોએ હાઈવે મરામત કર્યો

vartmanpravah

દેશની સાથે દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપમાં પણ ‘‘આયુષ્‍માન ભવઃ” કાર્યક્રમનો આરંભ

vartmanpravah

વાપી એસ.ઓ.જી.ને મળેલી સફળતા : બે પિસ્‍તોલ અને ચાર જીવતા કારતૂસ સાથે પાંચને ઝડપી પાડયા

vartmanpravah

દિલ્‍હીમાં 26 જાન્‍યુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદી સમક્ષ કર્તવ્‍યપથ પર રાઈજીન્‍ગ સ્‍ટાર દ્વારા ગૃપ પરફોર્મન્‍સ આપવા માટે રવાના

vartmanpravah

કપરાડામાં રાજ્‍યકક્ષાના પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે રૂા.81 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

મજીગામમાં ગણેશ મહોત્‍સવમાં ‘મજીગામના રાજા’ મંડળને સ્‍થાનિક સેવાભાવી પરિવાર દ્વારા સોના-ચાંદીની વરખવાળા પગ અર્પણ કરાયા

vartmanpravah

Leave a Comment