April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ફડવેલમાં કેબલ વાયર રિપેરીંગ સમયે વીજ કંપનીના રાનકુવા સબ ડિવિઝનના આસિસ્‍ટન્‍ટ લાઈનમેનને કરંટ લાગતા મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ રવિવારના રોજ ફડવેલ ગામે જીઇબીનો થાંભલો તૂટી ગયેલ હોય સાંજના સાડા સાતેક વાગ્‍યાના અરસામાં ડિજિબીસીએલના રાનકુવા સબ ડિવિઝનમાં આસિસ્‍ટન્‍ટ લાઈનમેન તરીકે ફરજ બજાવતા નીતિનભાઈ નગીનભાઈ રાઠોડ (ઉ.વ-48) (રહે.દેવધા પુણામી સ્‍ટ્રીટ તા.ગણદેવી જી.નવસારી) કેબલ વાયરનું રીપેરીંગ કરી રહ્યા હતા. ત્‍યારે તેમને વીજ કરંટ લાગતા પ્રથમ રાનકુવાની ખાનગી અને ત્‍યાંથી આલીપોરની હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. બાદમાં ચીખલીની સ્‍પંદન હોસ્‍પિટલમાં લાવતા ત્‍યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
બનાવનેપગલે મોટી સંખ્‍યામાં વીજ કંપનીના કર્મચારીઓ હોસ્‍પિટલ ખાતે એકત્ર થઈ ગયા હતા. અને સાથી કર્મચારીના મોતથી સમગ્ર વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
બનાવ અંગે મરનારના ભાઈ શશીકાંત નગીનલાલ રાઠોડે (રહે.અમલસાડ પલ એપાર્ટમેન્‍ટ તા.ગણદેવી જી.નવસારી) ની ફરિયાદમાં પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

નારગોલના ભુનવાળી ફળિયા ખાતે મકાનમાં આગ લાગવાની બનેલી ઘટના

vartmanpravah

ડાંગના શબરીધામ નજીક આવેલા પંપા સરોવરનો અદભૂત નજારો

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત સેલવાસના કલા કેન્‍દ્રમાં જિલ્લા સ્‍તરીય રંગોત્‍સવ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપના મહામંત્રી જીગ્નેશ પટેલના હસ્‍તે ‘શ્રી દમણ જિલ્લા માહ્યાવંશી સમાજ’ હોલના નવા શેડના નિર્માણ માટે કરાયું ખાતમુહૂર્ત

vartmanpravah

‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા આંબોલી ગામથી જનસંપર્ક સંવાદ અને દાનહ જોડો પદયાત્રાની કરાયેલી શરૂઆત

vartmanpravah

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ અને ઓરા લાયન્‍સ દ્વારા સમુહ લગ્ન યોજાયા

vartmanpravah

Leave a Comment