(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ રવિવારના રોજ ફડવેલ ગામે જીઇબીનો થાંભલો તૂટી ગયેલ હોય સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં ડિજિબીસીએલના રાનકુવા સબ ડિવિઝનમાં આસિસ્ટન્ટ લાઈનમેન તરીકે ફરજ બજાવતા નીતિનભાઈ નગીનભાઈ રાઠોડ (ઉ.વ-48) (રહે.દેવધા પુણામી સ્ટ્રીટ તા.ગણદેવી જી.નવસારી) કેબલ વાયરનું રીપેરીંગ કરી રહ્યા હતા. ત્યારે તેમને વીજ કરંટ લાગતા પ્રથમ રાનકુવાની ખાનગી અને ત્યાંથી આલીપોરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. બાદમાં ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં લાવતા ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
બનાવનેપગલે મોટી સંખ્યામાં વીજ કંપનીના કર્મચારીઓ હોસ્પિટલ ખાતે એકત્ર થઈ ગયા હતા. અને સાથી કર્મચારીના મોતથી સમગ્ર વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
બનાવ અંગે મરનારના ભાઈ શશીકાંત નગીનલાલ રાઠોડે (રહે.અમલસાડ પલ એપાર્ટમેન્ટ તા.ગણદેવી જી.નવસારી) ની ફરિયાદમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.