June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે સ્‍ટેશન ઉપર રેલવે પાટા ક્રોસ કરતા લોકોને જાગૃત કરવા માટે યમદૂતનો નુક્કડ કાર્યક્રમ યોજાયો

રેલવે લાઈન ક્રોસ કરવી ગુનો છે, ક્‍યારેક યમદૂત આવી જીવ લઈ શકે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપીથી સુરત વચ્‍ચે રેલવે લાઈન હજારો લોકો નિયમિત ક્રોસ કરતા રહે છે. જેને લઈ સેંકડો લોકોના જીવ ગયા છે. તેથી લોકોમાં જાગૃતિ લાવવા માટે રેલવે વિભાગ દ્વારા યમદૂતના નુક્કડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા વલસાડ સ્‍ટેશન ઉપર પણ યમદૂત નુક્કડનો કાર્યક્રમ યોજાયો હતો. આજે વાપી રેલવે સ્‍ટેશન ઉપર યોજવામાં આવ્‍યો હતો.
રેલવે વિભાગ દ્વારા રેલવે લાઈન ક્રોસ કરતા લોકોની જાગૃતિ માટે યમદૂત કલાકાર દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. વાપી રેલવે સ્‍ટેશન ઉપર રેલવે લાઈન ક્રોસ કરી રહેલા લોકોને અટકાવી યમરાજે સમજાવ્‍યા હતા. મોત પૂછીને આવતી નથી, રેલવે ક્રોસ કરતી વખતે અચાનક ગાડીઓ આવી જાય છે ને મોતને ભેટવું પડે છે. તેવો જાહેર સંદેશ યમરાજા આપી રહ્યા હતા. તેમણે પાટા ક્રોસ નહીકરવાની સાથે સાથે ગંદકી નહી કરવાની પણ સલાહ આપી હતી. રેલવે જીઆરપી અધિકારી તથા રેલવેના અધિકારીઓએ લોકોને સમજાવ્‍યા હતા કે રેલવે લાઈન ક્રોસ કરવી કાનુની કલમ 145 બી હેઠળ ગુનો બને છે અને કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.

Related posts

પારડીના આમળી ગામે બે પરિવારના 14 જેટલા સભ્‍યો પાણીમાં ફસાયા

vartmanpravah

અયોધ્‍યામાં શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ નિમિત્તે સેલવાસની લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલમાં દીપોત્‍સવઃ વિદ્યાર્થીઓએ કરેલું શ્રી રામચરિત માનસનું પઠન

vartmanpravah

નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇ ના હસ્તે વટાર ૬૬ કે.વી. સબસ્ટેશનનું ભૂમિપૂજન કરાયું

vartmanpravah

નાની દમણ વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા રામદાસ હોસ્‍પિટલમાં ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપીમાં ગણેશ આયોજકોનું કલેક્‍ટર દ્વારા સન્‍માન કરાયું: પ્રથમ, દ્વિતિય, તૃતિય વિજેતા જાહેર કરાયા

vartmanpravah

વાપીમાં મળસ્‍કે ફુડ કંપનીમાં ભિષણ આગ લાગી : આગના ધુવાડા કિલોમીટર સુધી વિસ્‍તર્યા હતા

vartmanpravah

Leave a Comment