June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે સ્‍ટેશન ઉપર રેલવે પાટા ક્રોસ કરતા લોકોને જાગૃત કરવા માટે યમદૂતનો નુક્કડ કાર્યક્રમ યોજાયો

રેલવે લાઈન ક્રોસ કરવી ગુનો છે, ક્‍યારેક યમદૂત આવી જીવ લઈ શકે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપીથી સુરત વચ્‍ચે રેલવે લાઈન હજારો લોકો નિયમિત ક્રોસ કરતા રહે છે. જેને લઈ સેંકડો લોકોના જીવ ગયા છે. તેથી લોકોમાં જાગૃતિ લાવવા માટે રેલવે વિભાગ દ્વારા યમદૂતના નુક્કડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા વલસાડ સ્‍ટેશન ઉપર પણ યમદૂત નુક્કડનો કાર્યક્રમ યોજાયો હતો. આજે વાપી રેલવે સ્‍ટેશન ઉપર યોજવામાં આવ્‍યો હતો.
રેલવે વિભાગ દ્વારા રેલવે લાઈન ક્રોસ કરતા લોકોની જાગૃતિ માટે યમદૂત કલાકાર દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. વાપી રેલવે સ્‍ટેશન ઉપર રેલવે લાઈન ક્રોસ કરી રહેલા લોકોને અટકાવી યમરાજે સમજાવ્‍યા હતા. મોત પૂછીને આવતી નથી, રેલવે ક્રોસ કરતી વખતે અચાનક ગાડીઓ આવી જાય છે ને મોતને ભેટવું પડે છે. તેવો જાહેર સંદેશ યમરાજા આપી રહ્યા હતા. તેમણે પાટા ક્રોસ નહીકરવાની સાથે સાથે ગંદકી નહી કરવાની પણ સલાહ આપી હતી. રેલવે જીઆરપી અધિકારી તથા રેલવેના અધિકારીઓએ લોકોને સમજાવ્‍યા હતા કે રેલવે લાઈન ક્રોસ કરવી કાનુની કલમ 145 બી હેઠળ ગુનો બને છે અને કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.

Related posts

સરકારે નક્કી કરેલા દર પ્રમાણે લઘુત્તમ વેતન નહીં ચુકવાતા નરોલી ગામની પર્લ થેર્મોપ્‍લાસ્‍ટ પ્રાઇવેટ લી.ના કામદારો પગાર મુદ્દે હડતાલ પર

vartmanpravah

રોટરી ક્‍લબ દમણ દ્વારા 7 શિક્ષકોને એનાયત કરાયા રાષ્‍ટ્ર નિર્માતા પુરસ્‍કાર

vartmanpravah

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે વર્લ્‍ડ ફૂડ સેફટી ડે ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને મળી

vartmanpravah

જી-20 સમિટમાં પોલિકેબ ઈન્‍ડિયા લિ. દ્વારા લગાવવામાં આવેલ સ્‍ટોલોનું પ્રતિનિધિ મંડળ અને વિદ્યાર્થીઓએ કરેલું અવલોકન

vartmanpravah

સોળસુંબા બજાર પ્રકરણમાં સરકારી અધિકારીઓની તપાસમાં ઢીલી નીતિ

vartmanpravah

Leave a Comment