October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ બાપા સિતારામ સનાતન ટ્રસ્‍ટ દ્વારા તા.17 શરદ પૂનમથી નિઃશુલ્‍ક દવાખાનાનો શુભારંભ થશે

નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સાંસદ ધવલ પટેલના હસ્‍તે શુભારંભ થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી સલવાવમાં કાર્યરત શ્રી બાપા સિતારામ સનાતન ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત આશ્રમમાં પરમ પૂજ્‍ય બજરંગદાસ બાપાના સાનિધ્‍યમાં આગામી તા.17 ગુરૂવાર શરદપૂનમના દિવસથી આશ્રમ પરિસરમાં નિઃશુલ્‍ક દવાખાનાનો શુભારંભ થનાર છે.
શરદપૂનમના શુભ દિનથી પ્રારંભ થનાર નિઃશુલ્‍ક દવાખાના તથા મેગા હેલ્‍થ કેમ્‍પનો શુભારંભ નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા સાંસદ ધવલ પટેલના હસ્‍તે થનાર છે. આ પ્રસંગે અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે. જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, જિ.પં. પ્રમુખ મનહર પટેલ સહિત ભાજપ જિલ્લા મંડળના હોદ્દેદારો ઉપસ્‍થિત રહેનાર છે. તા.17 ગુરૂવારના રોજ યોજાનાર કાર્યક્રમમાં સવારે 11:00 કલાકે આરતી તથા બપોરે અને સાંજે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે. ઉદ્દઘાટનના દિવસે મેગાહેલ્‍થ ચેકઅપ કેમ્‍પનું પણ આયોજન કરાયેલું છે. ટ્રસ્‍ટ દ્વારા ભાવિકોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

દમણ જિલ્લા ભાજપના સંગઠન પર્વના ઉપલક્ષમાં કાર્યશાળાનું કરાયું આયોજન

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ભારતની આઝાદીના અમૃત મહોત્‍સવના વર્ષ દરમિયાન દેશના સર્વોચ્‍ચ પદ ઉપરઆદિવાસી રાષ્‍ટ્રપતિની પસંદગી કરવા બદલ પ્રધાનમંત્રી અને એનડીએનો માનેલો આભાર

vartmanpravah

કલેક્‍ટર તથા આયોજન અને વિકાસ પ્રાધિકરણના સભ્‍ય સચિવ ભાનુ પ્રભાની સૂચના- દાનહમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ કુંડમાં જ કરવામાં આવે

vartmanpravah

કપરાડા તાલુકામાં રૂા. એક કરોડના ખર્ચે લાઇબ્રેરી કમ રીડિંગ સેન્‍ટર બનાવાશે

vartmanpravah

દમણની વેલનોન ઈન્‍ડસ્‍ટ્રીઝના કર્મીઓને આરોગ્‍ય વિભાગે ડેંગ્‍યુના રોગચાળાને અટકાવવાની બાબતમાં પ્રશિક્ષિત કર્યા

vartmanpravah

વલસાડમાં “પેડલ ફોર ધ પ્લેનેટ” ના સંદેશ સાથે WWF દ્વારા તા. ૨૫ માર્ચે સાયક્લોથોન યોજાશે

vartmanpravah

Leave a Comment