April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ બાપા સિતારામ સનાતન ટ્રસ્‍ટ દ્વારા તા.17 શરદ પૂનમથી નિઃશુલ્‍ક દવાખાનાનો શુભારંભ થશે

નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સાંસદ ધવલ પટેલના હસ્‍તે શુભારંભ થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી સલવાવમાં કાર્યરત શ્રી બાપા સિતારામ સનાતન ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત આશ્રમમાં પરમ પૂજ્‍ય બજરંગદાસ બાપાના સાનિધ્‍યમાં આગામી તા.17 ગુરૂવાર શરદપૂનમના દિવસથી આશ્રમ પરિસરમાં નિઃશુલ્‍ક દવાખાનાનો શુભારંભ થનાર છે.
શરદપૂનમના શુભ દિનથી પ્રારંભ થનાર નિઃશુલ્‍ક દવાખાના તથા મેગા હેલ્‍થ કેમ્‍પનો શુભારંભ નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા સાંસદ ધવલ પટેલના હસ્‍તે થનાર છે. આ પ્રસંગે અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે. જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, જિ.પં. પ્રમુખ મનહર પટેલ સહિત ભાજપ જિલ્લા મંડળના હોદ્દેદારો ઉપસ્‍થિત રહેનાર છે. તા.17 ગુરૂવારના રોજ યોજાનાર કાર્યક્રમમાં સવારે 11:00 કલાકે આરતી તથા બપોરે અને સાંજે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે. ઉદ્દઘાટનના દિવસે મેગાહેલ્‍થ ચેકઅપ કેમ્‍પનું પણ આયોજન કરાયેલું છે. ટ્રસ્‍ટ દ્વારા ભાવિકોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં મેડી મિત્રા એનજીઓ દ્વારા કેન્‍સર અવેરનેસ અને અર્લી ડિટેકશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

દાનહના ખાનવેલમાં લોકોના પ્રચંડ ઉત્‍સાહ, ઉમંગ અને હાજરી સાથે 77મા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી સંપન્ન

vartmanpravah

181-કપરાડા વિધાનસભામાં પ્રિસાઈડીંગ અને આસિસ્‍ટન્‍ટ પ્રિસાઈડીંગ ઓફિસરોને તાલીમ અપાઈ

vartmanpravah

વલસાડ એસટી વિભાગ દર પૂનમે ભક્‍તો માટે સ્‍પેશિયલ એસટી બસ દોડાવશે

vartmanpravah

દમણ નહેરુ યુવા કેન્‍દ્ર અને એન.એસ.એસ. યુવાનોએ ‘સ્‍વચ્‍છતા અભિયાન’ અંતર્ગત કરેલી સાફ-સફાઈ

vartmanpravah

વાપીના પૂર્વ નગરસેવિકા સ્‍વ.મંજુબેન દાયમાની 15 મી પુણ્‍યતિથિએ મેગા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment