નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સાંસદ ધવલ પટેલના હસ્તે શુભારંભ થશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: વાપી સલવાવમાં કાર્યરત શ્રી બાપા સિતારામ સનાતન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશ્રમમાં પરમ પૂજ્ય બજરંગદાસ બાપાના સાનિધ્યમાં આગામી તા.17 ગુરૂવાર શરદપૂનમના દિવસથી આશ્રમ પરિસરમાં નિઃશુલ્ક દવાખાનાનો શુભારંભ થનાર છે.
શરદપૂનમના શુભ દિનથી પ્રારંભ થનાર નિઃશુલ્ક દવાખાના તથા મેગા હેલ્થ કેમ્પનો શુભારંભ નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા સાંસદ ધવલ પટેલના હસ્તે થનાર છે. આ પ્રસંગે અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, જિ.પં. પ્રમુખ મનહર પટેલ સહિત ભાજપ જિલ્લા મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહેનાર છે. તા.17 ગુરૂવારના રોજ યોજાનાર કાર્યક્રમમાં સવારે 11:00 કલાકે આરતી તથા બપોરે અને સાંજે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્દઘાટનના દિવસે મેગાહેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરાયેલું છે. ટ્રસ્ટ દ્વારા ભાવિકોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.