Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ બાપા સિતારામ સનાતન ટ્રસ્‍ટ દ્વારા તા.17 શરદ પૂનમથી નિઃશુલ્‍ક દવાખાનાનો શુભારંભ થશે

નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સાંસદ ધવલ પટેલના હસ્‍તે શુભારંભ થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી સલવાવમાં કાર્યરત શ્રી બાપા સિતારામ સનાતન ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત આશ્રમમાં પરમ પૂજ્‍ય બજરંગદાસ બાપાના સાનિધ્‍યમાં આગામી તા.17 ગુરૂવાર શરદપૂનમના દિવસથી આશ્રમ પરિસરમાં નિઃશુલ્‍ક દવાખાનાનો શુભારંભ થનાર છે.
શરદપૂનમના શુભ દિનથી પ્રારંભ થનાર નિઃશુલ્‍ક દવાખાના તથા મેગા હેલ્‍થ કેમ્‍પનો શુભારંભ નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા સાંસદ ધવલ પટેલના હસ્‍તે થનાર છે. આ પ્રસંગે અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે. જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, જિ.પં. પ્રમુખ મનહર પટેલ સહિત ભાજપ જિલ્લા મંડળના હોદ્દેદારો ઉપસ્‍થિત રહેનાર છે. તા.17 ગુરૂવારના રોજ યોજાનાર કાર્યક્રમમાં સવારે 11:00 કલાકે આરતી તથા બપોરે અને સાંજે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે. ઉદ્દઘાટનના દિવસે મેગાહેલ્‍થ ચેકઅપ કેમ્‍પનું પણ આયોજન કરાયેલું છે. ટ્રસ્‍ટ દ્વારા ભાવિકોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સમક્ષ મચ્‍છીમારી બોટો માટે સબસીડીના દર ઉપર ડિઝલ પુરવઠો આપવા કરેલી રજૂઆત

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સેવા-સમર્પણ કાર્યક્રમ અંતર્ગત વિધવા અને વૃદ્ધોને સાડી-વોકિંગ સ્ટિકનું કરાયેલું વિતરણ

vartmanpravah

યુક્રેનમાં ફસાયેલ સંઘપ્રદેશના ચાર વિદ્યાર્થીઓને જલ્‍દી સુરક્ષિત પરત લાવવામાં પ્રશાસન હરસંભવ પ્રયાસ કરશે : પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

અદાણી લોજીસ્ટિકસ લિ.એ નવકાર કોર્પોરેશન લિ. પાસેથી ICDતુમ્બ (વાપી) હસ્તગત કર્યો

vartmanpravah

દેહરીની ટેનવાલા કંપની સામે કરવામાં આવેલી લેન્‍ડ ગ્રેબિગની ફરિયાદમાં તપાસ કરનાર અધિકારીઓનો બિનજરૂરી વિલંબ 

vartmanpravah

દાદરા ચેકપોસ્‍ટથી પોલીસ ચોકી સુધી મુખ્‍ય રસ્‍તાઓ પર વાહનોના આડેધડ પાર્કિંગથી હાલાકી

vartmanpravah

Leave a Comment