April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકાના નાહુલીમાં જાળમાં ફસાયો 8 ફૂટ લાંબો મહાકાય અજગર

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18: ઉમરગામ તાલુકાના નાહુલી ગામમાં એક અજગર જાળમાં ફસાયો હોવાની જાણ વાપી એનિમલ રેસકયું ટીમને મળી હતી, વન વિભાગને જાણ કરી અજગરનું સફળ રેસ્‍કયુ કરી સુરક્ષિત વન્‍ય ક્ષેત્રે છોડી દેવામાં આવ્‍યો હતો.
વહેલી સવારે નાહુલી નવીનગરીમાં રહેતા બબલીબેન વારલી ખેતરમાં ભાત કાપવા માટે રાબેતા મુજબ જઈ રહ્યા હતા. જોકે ખેતરની દશા બગડેલી જોતા તેમને કોઈ ઢોર ખેતરમાં આવી ચઢયો હોય એમ જણાયું હતું પરંતુ ખેતરની પાડે લગાવેલ સેફટી જાળ પાસેથી પસાર થતાં તેમને અચાનક એક મહાકાય અજગર દેખાઈ આવ્‍યો હતો. જેની જાણ આસપાસના લોકોને કરતા લોકો સ્‍થળે ધસી આવ્‍યા હતા. અજગર જાળમાં ફસાયો હોય માલૂમ પડતાં તરત જ તેમને વાપી એનિમલ રેસ્‍કયુ ટીમને આ વિશે માહીતિ આપી હતી. લોકો આટલા મોટા સાંપને જોઈ ઘભરાઈ ગયા હતા. જોકે રેસકયુ ટીમના વર્ધમાન શાહ દ્વારા તરત જ સ્‍થળે પહોંચી ખૂબ સાવધાની પૂર્વક અજગરને જાળ કાપી મુક્‍ત કર્યો હતો અને લોકોને અજગર વિશે માહિતી આપી હતી.
વર્ધમાન શાહના જણાવ્‍યા પ્રમાણે લોકો અજગર જેવા બિનઝેરી સાપથી તેના કદ અને ભારે ભરકમ શરીર જોઈને ડરતા હોય છે અને કયારેક આ ડર તેમને મારવા કે હાની પહોંચાડવા માટે પ્રેરિત પણ કરતુંહોય છે. એનાથી ઉલટું અજગર ખૂબ શરમાળ અને ડરપોક સરીસૃપ છે, ભારતીય અજગર બને ત્‍યાં સુધી મનુષ્‍યથી દુર રહેવાનું જ પસંદ કરે છે અને મનુષ્‍ય દ્વારા જો તેને છેડવામાં આવે ત્‍યારેજ તે પોતાની બચાવ પ્રક્રિયામાં હુમલો કરતો હોય છે અને ત્‍યારે લોકો ને જીવનું જોખમ પણ બની શકે છે. અજગર જેવા સાપ ખેતરોની આસપાસ વધુ નજરે ચઢતા હોય છે અને ઉંદર જેવા જીવ નો શિકાર કરી ખેડૂતોના પાકને પણ બચાવવામાં મદદ કરતા હોય છે. જોકે ફિલ્‍મ અને કાલ્‍પનિક દુનિયામાં અજગરની છબી એક માનવભક્ષી તરીકે બતાવવામાં આવી છે જે હકીક્‍તમાં તદ્દન ઉલટું હોય છે.

Related posts

આજે દમણવાડા ગ્રામ પંચાયત અને મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે મોટી દમણના આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah

વાપી વોર્ડ નં.8માં મહાકાળી સાર્વજનિક મહોત્‍સવનું આયોજન કરાયું

vartmanpravah

સરકારી અનાજના ગોડાઉન ઉપર અનાજનો જથ્‍થો નહીં આવતા નવસારી જિલ્લામાં હજારો રેશનકાર્ડ ધારકો છેલ્લા પાંચ માસથી તુવેરદાળથી વંચિત

vartmanpravah

ધરમપુર આરએસએસદ્વારા વિજયાદશમી ઉત્‍સવ નિમિત્તે નગરમાં પથ સંચલન યોજાયું

vartmanpravah

તીઘરા હાઈવે પર કન્‍ટેનરની અડફેટે ત્રિપલ સવાર બાઈક પેકી એકનું મોત, બે ઘાયલ

vartmanpravah

વલસાડ રેલવે યાર્ડમાં બાન્‍દ્રા-વિરાર ટ્રેનમાંથી અજાણ્‍યા યુવકની ડિકમ્‍પોઝ હાલતમાં લાશ મળી

vartmanpravah

Leave a Comment