Vartman Pravah
ગુજરાતવલસાડ

ધરમપુરના દુલસાડ ગામે વરસાદથી મકાન તુટી પડયું: કાટમાળમાં દબાઈ જતા 75 વર્ષિય વૃદ્ધાનું મોત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14
વલસાડ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે ત્‍યારે અતિવૃષ્‍ટી અનેક જગ્‍યાએ ખાનાખરાબી તારાજી સર્જી રહેલ છે. ધરમપુરના દુલસાડ ગામે સોમવારે રાત્રે 9.00 વાગ્‍યાના સુમારે એક મકાન ભારે વરસાદને પગલે તૂટી પડયું હતું. દુર્ઘટનામાં મકાનના કાટમાળમાં દટાયેલી વૃદ્ધાનું ગંભીર ઈજાઓને લઈ મોત નિપજ્‍યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ધરમપુરના દુલસાડ ગામે નાયકી ફળિયામાં ગત રાત્રે ભારે પવન સાથે વરસી રહેલા વરસાદમાં એક કાચુ મકાન તુટી પડયું હતુ. રાત્રે 9 વાગ્‍યાના સુમારે ઘરમાં ગજરાબેન (ઉ.વ.75) નામની મહિલા વાળુ કરી રહ્યા હતા ત્‍યાં તેમની ઉપર મકાનનો કાટમાળ તુટી પડયો હતો. જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા ગજરીબેનનું ઘટના સ્‍થળે જ કરુણ મોત નિપજ્‍યું હતું. પડોશીઓ દોડી આવ્‍યા હતા પરંતુ સમય વીતી ગયો હતો. વૃદ્ધાએ દમ તોડી દીધો હતો.

Related posts

સંઘપ્રદેશના સરપંચોમાં ક્ષમતા નિર્માણ વર્કશોપથી આવેલી નવી ઊર્જાઃ વહીવટી કસબની મળેલી જાણકારી

vartmanpravah

દક્ષિણ ગુજરાતની ખાંડ મિલો 31મી માર્ચે શેરડીના ભાવ જાહેર કરશે : ખાંડ ઉદ્યોગ સંઘ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે 1763 પ્રચારાત્‍મક સામગ્રીઓ દૂર કરાઈ

vartmanpravah

વલસાડના પૂર અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં પોલીસની દેવદૂતની ભૂમિકાઃ સેંકડો લોકોનું સ્‍થળાંતર કરાવ્‍યું

vartmanpravah

ગુજરાતમાં એક માત્ર વલસાડ જિલ્લામાં ટીબીના દર્દીઓ માટે ઉપયોગી અદ્યતન XDR GenXpert મશીનનું જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહના હસ્તે લોકાર્પણ

vartmanpravah

બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રાનું વાપીમાં અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કર્યું

vartmanpravah

Leave a Comment