Vartman Pravah
ગુજરાતવલસાડ

ધરમપુરના દુલસાડ ગામે વરસાદથી મકાન તુટી પડયું: કાટમાળમાં દબાઈ જતા 75 વર્ષિય વૃદ્ધાનું મોત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14
વલસાડ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે ત્‍યારે અતિવૃષ્‍ટી અનેક જગ્‍યાએ ખાનાખરાબી તારાજી સર્જી રહેલ છે. ધરમપુરના દુલસાડ ગામે સોમવારે રાત્રે 9.00 વાગ્‍યાના સુમારે એક મકાન ભારે વરસાદને પગલે તૂટી પડયું હતું. દુર્ઘટનામાં મકાનના કાટમાળમાં દટાયેલી વૃદ્ધાનું ગંભીર ઈજાઓને લઈ મોત નિપજ્‍યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ધરમપુરના દુલસાડ ગામે નાયકી ફળિયામાં ગત રાત્રે ભારે પવન સાથે વરસી રહેલા વરસાદમાં એક કાચુ મકાન તુટી પડયું હતુ. રાત્રે 9 વાગ્‍યાના સુમારે ઘરમાં ગજરાબેન (ઉ.વ.75) નામની મહિલા વાળુ કરી રહ્યા હતા ત્‍યાં તેમની ઉપર મકાનનો કાટમાળ તુટી પડયો હતો. જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા ગજરીબેનનું ઘટના સ્‍થળે જ કરુણ મોત નિપજ્‍યું હતું. પડોશીઓ દોડી આવ્‍યા હતા પરંતુ સમય વીતી ગયો હતો. વૃદ્ધાએ દમ તોડી દીધો હતો.

Related posts

વલસાડ જિલ્લામાં તા. 16 થી 19 માર્ચ હળવા કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

ચીખલી એસ.ટી. બસ સ્‍ટેશનનો સ્‍લેબ ધરાશાયી થયાના 9 માસ બાદ પણ બાંધકામ ફરી શરૂ ન થતાં અનેક તર્ક-વિતર્ક

vartmanpravah

વલસાડ જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા સૌપ્રથમ વખત આરોહણ- અવરોહણ સ્‍પર્ધાનું આયોજન 21મી માર્ચ ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી નિમિત્તે તા.20મી માર્ચે પારનેરા ડુંગર પર આરોહણ- અવરોહણ સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

વલસાડમાં રાત્રે ઘરેથી કાર લઈ હાઈવે ઉપર મિત્રો સાથે ચા પીવા નિકળેલ યુવાનને મોત ભેટી ગયું

vartmanpravah

પાલઘર વાધવન બંદર કાર્યક્રમમાં વડાપ્રધાનની ઉપસ્‍થિતિને લઈ નેશનલ હાઈવે સાંજે 8 વાગ્‍યા સુધી બંધ રખાયો

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશમાં રાષ્‍ટ્રીય ગ્રામ સ્‍વરાજ અભિયાન હેઠળ આયોજીત કેવડિયા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિની એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળામાં સામેલ થવા દમણના જનપ્રતિનિધિઓ રવાના

vartmanpravah

Leave a Comment