April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ એસટી ડિવિઝન કચેરી ખાતે સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત રક્‍તદાન કેમ્‍પ યોજાયો, 71 બોટલ એકત્ર થઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: વલસાડ એસ.ટી. ડિવિઝન કચેરી અબ્રામા ખાતે ‘‘સ્‍વભાવ સ્‍વચ્‍છતા, સંસ્‍કાર સ્‍વચ્‍છતા” ઝુંબેશ અંતર્ગત વલસાડ વિભાગના વિભાગીય નિયામક એન.એસ. પટેલની આગેવાની હેઠળ યોજાયેલા રક્‍તદાન કેમ્‍પમાં 71 બોટલ રક્‍ત ભેગુ થયું હતું.
સરકારના આદેશ મુજબ સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન કાર્યક્રમ દરમિયાન વલસાડ એસટી ડિવિઝન કચેરી ખાતે બલ્‍ડ બેંક, જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્‍પિટલના સહયોગથી રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરાયું હતું. જેમાં એસટીના અધિકારીઓ, કર્મચારીઓ અને વર્કશોપના સ્‍ટાફે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી રક્‍તદાન કર્યુ હતું. આ પ્રસંગે વિભાગીય નિયામક શ્રી પટેલેજણાવ્‍યું હતું કે, વર્તમાન સમયે રક્‍તની વધતી જરૂરિયાતને જોતા રક્‍તદાન કરવું જોઈએ. રોજિંદા સંચાલનની સાથો સાથ વિભાગના અધિકારી-કર્મીઓએ આજે મોટી સંખ્‍યામાં હાજર રહી રક્‍તદાન કર્યું એ સરાહનીય છે.
નોંધનીય છે કે, વલસાડ એસટી વિભાગ હસ્‍તકના તમામ ડેપો – બસ સ્‍ટેશન – કંટ્રોલ પોઇન્‍ટ તથા વિભાગીય યંત્રાલય અને વિભાગીય કચેરી ખાતે અધિકારીઓ – કર્મચારીઓ દ્વારા શ્રમદાન તેમજ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ સાથે મળી સ્‍વચ્‍છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્‍યું હતું.

Related posts

‘રોબોટિક્‍સ મહોત્‍સવ’ હેઠળ ‘રોબોટેક્‍સ ઈન્‍ટરનેશનલ ચેમ્‍પિયનશિપ-2024’માં ભાગ લેવા સંઘપ્રદેશ શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પાંચ વિદ્યાર્થીઓ તાલીન પહોંચ્‍યા

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળે મહા પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પિત કરી ડો.બાબાસાહેબ આંબેડકરને આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના જીએસટી વિભાગે કડૈયા ગ્રામ પંચાયત ખાતે નોંધણીની પ્રક્રિયા સમજાવવા યોજેલો કેમ્‍પ

vartmanpravah

દાદરા નગર હવેલી મુક્તિસંગ્રામ ઍ સંઘના સ્વયંસેવકોઍ કરેલો સંગ્રામ છે અને તત્કાલિન અધિકારીઅોઍ તે માટે શક્ય તેટલી મદદ કરેલી છે

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

‘સ્‍વચ્‍છ નિર્મળ તટ અભિયાન’ અંતર્ગત દરિયા કિનારા પર સ્‍વચ્‍છતા અભિયાનમાં 6 રાજ્‍યો અને 3 કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં સ્‍થિત 10 દરિયાકિનારા વિકસાવાયા છેઃ કેન્‍દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્‍યસભામાં આપેલી માહિતી

vartmanpravah

Leave a Comment