April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે સ્‍ટેશન ઉપર તહેવારોમાં વતન જતા મુસાફરોની ભીડ ઉમટી પડી : ભીડને નિયંત્રિત કરવા રેલવે લાચાર

ઉત્તર ભારતીયો અને રાજસ્‍થાનના પ્રવાસીઓની વતન તરફ દોટ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: આજથી દિવાળી પર્વનો પ્રારંભ થઈ ગયો છે.દિવાળી વેકેશન અને છઠ્ઠ પૂજાના તહેવારમાં ઉત્તર ભારતીય પ્રવાસીઓની બેસુમાર ભીડ વતનમાં જવા દિન-પ્રતિદિન ઉભરાઈ રહી છે. જેથી વાપી રેલવે સ્‍ટેશન ઉપર સવાર સાંજ રાત્રે પગ મુકવાની જગ્‍યા નથી તેટલા પરપ્રાંતિ મુસાફરો વતન પહોંચવા માટે ઉમટી રહ્યા છે. તમામ ટ્રેન ચિક્કાર ભરાઈને જઈ રહી છે.
તાજેતરમાં બાંદ્રા, મુંબઈ અને ઉધના, સુરત સ્‍ટેશન ઉપર ઉમટેલી ભીડ અને ટ્રેન પકડવાની જલ્‍દીમાં દોડાદોડીમાં કેટલાક મુસાફરો જમીન ઉપર ધક્કા મુક્કીમાં પટકાતા ઘાયલ થયા હતા તેથી જાહેર સલામતિ અને સુરક્ષાને ધ્‍યાને લઈને પヘમિ રેલવેમાં મુંબઈથી સુરત સુધીના 9 રેલવે સ્‍ટેશન ઉપર પ્‍લેટફોર્મ ટિકિટ તા.8 ઓક્‍ટોબર સુધી અસ્‍થાયી પ્રતિબંધ કરી દીધો છે. છતાં મુસાફરોની ભીડ હજુ સુછી કાબુમાં આવી નથી. વાપી રેલવે સ્‍ટેશન ઉપર આજે બેસુમાર ભીડનો નજારો જોવા મળ્‍યો હતો. રેલવે તંત્ર પણ મુસાફરોની ભીડ અટકાવવા અસમર્થ રહ્યું છે. ઉત્તર ભારત અને રાજસ્‍થાન જતા મુસાફરોનો તહેવારો અને વેકેશનને લઈ બેફામ વધારો થઈ રહ્યો છે. હજુ પણ આગામી બે-ત્રણ દિવસ ધસારો ઓછો થાય તેવી કોઈ શક્‍યતા નથી.

Related posts

અવસર લોકશાહીના મહાપર્વનો નવસારી  જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના તલાવચોરા હાઈસ્‍કૂલમાં વાર્ષિક મહોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસ તથા કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થતાં સેલવાસ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષ અને પ્રદેશ ભાજપના કદાવર નેતા રાકેશસિંહ ચૌહાણે ન.પા.માં કાર્યરત કર્મચારીઓને ધાબળા અને શ્રમપ્રસાદનું કરેલું વિતરણ

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા નવનિયુક્‍ત કલેક્‍ટર નૈમેશ દવેનો સ્‍વાગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉદ્યોગોના કારણે જ વધેલી દમણની ઓળખ અને સમૃદ્ધિઃ મુકેશ ગોસાવી-દમણવાડા સરપંચ

vartmanpravah

પારનેરા ડુંગર જંગલ વિસ્‍તારમાં આગ લાગી: ગ્રામજનોએ રંગ રાખ્‍યો, મહેનત કરીને આગ બુઝાવી

vartmanpravah

Leave a Comment