October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે સ્‍ટેશન ઉપર તહેવારોમાં વતન જતા મુસાફરોની ભીડ ઉમટી પડી : ભીડને નિયંત્રિત કરવા રેલવે લાચાર

ઉત્તર ભારતીયો અને રાજસ્‍થાનના પ્રવાસીઓની વતન તરફ દોટ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: આજથી દિવાળી પર્વનો પ્રારંભ થઈ ગયો છે.દિવાળી વેકેશન અને છઠ્ઠ પૂજાના તહેવારમાં ઉત્તર ભારતીય પ્રવાસીઓની બેસુમાર ભીડ વતનમાં જવા દિન-પ્રતિદિન ઉભરાઈ રહી છે. જેથી વાપી રેલવે સ્‍ટેશન ઉપર સવાર સાંજ રાત્રે પગ મુકવાની જગ્‍યા નથી તેટલા પરપ્રાંતિ મુસાફરો વતન પહોંચવા માટે ઉમટી રહ્યા છે. તમામ ટ્રેન ચિક્કાર ભરાઈને જઈ રહી છે.
તાજેતરમાં બાંદ્રા, મુંબઈ અને ઉધના, સુરત સ્‍ટેશન ઉપર ઉમટેલી ભીડ અને ટ્રેન પકડવાની જલ્‍દીમાં દોડાદોડીમાં કેટલાક મુસાફરો જમીન ઉપર ધક્કા મુક્કીમાં પટકાતા ઘાયલ થયા હતા તેથી જાહેર સલામતિ અને સુરક્ષાને ધ્‍યાને લઈને પヘમિ રેલવેમાં મુંબઈથી સુરત સુધીના 9 રેલવે સ્‍ટેશન ઉપર પ્‍લેટફોર્મ ટિકિટ તા.8 ઓક્‍ટોબર સુધી અસ્‍થાયી પ્રતિબંધ કરી દીધો છે. છતાં મુસાફરોની ભીડ હજુ સુછી કાબુમાં આવી નથી. વાપી રેલવે સ્‍ટેશન ઉપર આજે બેસુમાર ભીડનો નજારો જોવા મળ્‍યો હતો. રેલવે તંત્ર પણ મુસાફરોની ભીડ અટકાવવા અસમર્થ રહ્યું છે. ઉત્તર ભારત અને રાજસ્‍થાન જતા મુસાફરોનો તહેવારો અને વેકેશનને લઈ બેફામ વધારો થઈ રહ્યો છે. હજુ પણ આગામી બે-ત્રણ દિવસ ધસારો ઓછો થાય તેવી કોઈ શક્‍યતા નથી.

Related posts

ચૂંટણી પંચના દિશા-નિર્દેશ મુજબ દાનહના કલેક્‍ટર તરીકે ડો. રાકેશ મિન્‍હાસઃ દમણના કલેક્‍ટરનો વધારાનો હવાલો નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતના શિરે

vartmanpravah

દમણવાડા ગૃપ ગ્રામ પંચાયતમાં આયોજીત ગણેશ મહોત્‍સવ

vartmanpravah

વાપી ચણોદ ગુરુદ્વારામાં ગુરુનાનકજીની 555મી જન્‍મ જયંતિની ધામધૂમથી કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રમાં વલસાડ ડાયટ દ્વારા સ્‍પોર્ટ ઈન્‍ટિગ્રેટેડ એજ્‍યુકેશન ટોય ઈન્‍ટીગ્રેટેડ એજ્‍યુકેશન વર્કશોપ યોજાયો

vartmanpravah

કલીયારી ગામે અગ્નિસંસ્‍કાર પતાવી નદીના ચેકડેમમાં નાહવા ગયેલ ખુડવેલના યુવાનનું ડૂબી જતાં મોત

vartmanpravah

વાપી આર.એન. સ્‍કૂલની વિદ્યાર્થીની અનુષ્‍કા વર્મા ઓપન નેશનલ ગેમ્‍સ એન્‍ડ સ્‍પોર્ટ્‍સમાં ઝળકીઃ દોડમાં બ્રોન્‍ઝ મેળવ્‍યો

vartmanpravah

Leave a Comment