October 14, 2025
Vartman Pravah
Breaking Newsનવસારી

નવસારી ખાતે કૃષિ કાર્યક્રમ યોજાયો: નવસારી જિલ્લાના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે અનુરોધ કર્યો

નવસારીઃ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નેચરલ કોન્કલેવ કાર્યક્રમ આણંદ ખાતે યોજાયો હતો.

નેશનલ ફાર્મિંગ અંગેના નેશનલ કોન્કલેવ અંતર્ગત નવસારી જિલ્લાકક્ષાનો કાર્યક્રમ બી.આર.ફાર્મ, નવસારી ખાતે રાજયના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર, જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ,  જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર ઉપસ્થિત રહયાં હતાં.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી તરફ રાજય અને દેશના ખેડૂતો આગળ આવી રહયા છે તે ખૂબ આનંદની વાત છે. રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ કરવાથી જમીન બિનઉપજાઉ બની જાય છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી  ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરી ખેત ઉત્પાદન વધારવા જણાવ્યું હતું. રાજય સરકાર દ્વારા આપવામાં ખેતીલક્ષી સાધન સહાય, સબસીડીનો લાભ લેવા જણાવ્યું હતું. વધુમાં તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીઍ વર્ચ્યુઅલી માધ્યમથી તમામ ખેડૂતોને સંબોધન કરી, પ્રાકૃતિક ખેતી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ રાજયપાલશ્રી, કેન્દ્રીય મંત્રીશ્રીઍ પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને જાણકારી આપવામાં આવી હતી. ઍગ્રી પ્રિ- વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૧ અંતર્ગત આણંદ ખાતે આયોજીત નેશનલ કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ ના કાર્યક્રમનું  જીવંત પ્રસારણ  મહાનુભાવો તથા ખેડૂત ભાઇ-બહેનોઍ નિહાળ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ, શ્રી અરવિંદ પાઠક, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ગજેરા, શ્રી સી.આર.પટેલ સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહયાં હતાં.

Related posts

ઉંદર પકડવા જતા સાપ ઘરમાં સુતેલા પરિવાર પર પડતા મચી હડકંપ: જીવદયા ગ્રુપે મોડી રાત્રે સાપને શોધી પકડતા પરિવારે માન્‍યો આભાર

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

ગુજરાત એન.એસ.યુ.આઈ.એ કોંગ્રેસ ગુજરાત રાજ્‍યના પ્રદેશ મંત્રી દશરથ કડુની વરણી કરવામાં આવી છે

vartmanpravah

નવસારી જેસીઆઈ દ્વારા રંગોળી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ચીખલીના થાલા ગામે ગત રાત્રે હત્‍યા કરાયેલ યુવાનની લાશ આરોપીઓ ન ઝડપાઈ ત્‍યાં સુધી ન સ્‍વીકારવાનો પરિવારનો ઈન્‍કાર

vartmanpravah

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજના વિદ્યાર્થીઓને એનડીઆરએફની ટીમે આપદા વ્‍યવસ્‍થાપન અંગેની આપેલી તાલીમ

vartmanpravah

Leave a Comment