April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જેસીઆઈ દ્વારા રંગોળી સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.29: દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે. દિવાળી નિમિત્તે ધનતેરસના શુભ દિવસે એટલે કે તારીખ 29 ઓક્‍ટોબર મંગળવારે નવસારીનાં દુધિયા તળાવ સ્‍થિત આશાપુરી મંદિર હોલ ખાતે જેસીઆઈ નવસારી દ્વારા રંગોળી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 25 જેટલા સ્‍પર્ધકોએભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં રીટાબેન કૌર તેમજ પ્રજ્ઞાબેન સોનીએ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે સોનલ નાયક, દ્વિતીય ક્રમે મયુર પટેલ, તૃતીય ક્રમે વિધિ ગોળવાળા તેમજ ચોથા ક્રમે મેઘના પટેલ રહ્યાં હતાં. રંગોળી સ્‍પર્ધાના પ્રોજેક્‍ટ ચેરમેન જેસી હર્ષદા સાકરીયા, પ્રોજેકટ ડિરેક્‍ટર જેસી જેસલ શાહ, પ્રો. કન્‍સલ્‍ટસન જેસી નિમિષા પરીખ રહ્યાં હાજર રહ્યાં હતાં.
જેસીઆઇ નવસારીનાં હાલના પ્રમુખ જેસી જલ્‍પેશ સાકરીયા તેમજ ગત વર્ષનાં પ્રમુખ જેસી કામિનીબેન શુકલ હાજર રહી સ્‍પર્ધકોનો ઉત્‍સાહ વધાર્યો હતો. જેસી ધર્મિષ્ઠા મહેતા જેજે રીદયા સાવલા તેમજ જેજે પાર્થ ટોપીવાલાએ હાજરી આપી હતી. દરેક સ્‍પર્ધકને ઓલ બ્રાઇટ તરફથી સફાઈ સ્‍પોન્‍જ આપવામાં આવ્‍યા હતા.

Related posts

દાનહમાંથી પસાર થતા ‘ને.હા.નં. 848-એ’ને તાત્‍કાલિક રિપેર કરાવવા કેન્‍દ્રિય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને સાંસદ કલાબેન ડેલકરની રજૂઆત

vartmanpravah

કમોસમી વરસાદ અને વાવાઝોડાંમાં અસરગ્રસ્ત બનેલા દાનહના ગામડાઓના પરિવારોના વ્હારે આવી આરતી ઇન્ડસ્ટ્રીઝઃ સિમેન્ટના પતરાનું કર્યું વિતરણ

vartmanpravah

નાની દમણ ઝાંપાબાર સ્‍થિત તનિષ્‍કા જ્‍વેલરી દુકાનમાં 90 લાખના દાગીનાની ચોરી

vartmanpravah

દમણવાડા પંચાયત દ્વારા વિશ્વવિભૂતિ ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્‍મ જયંતિ ઉજવાશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સેલવાસ મુલાકાત પહેલાં દાનહમાં ભાજપના મનોબળમાં વધારોઃ સેંકડો કાર્યકર્તાઓ સાથે આદિવાસી યુવા નેતા ધારાશાસ્રી સની ભીમરાએ બાંધેલી ભાજપની કંઠી

vartmanpravah

વાપી એલ.જી. હરિઆ સ્‍કૂલમાં શિક્ષક ગરિમા ગાન કરતા શિક્ષક દિવસની ઉજવણી કરાઈ 

vartmanpravah

Leave a Comment