January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જેસીઆઈ દ્વારા રંગોળી સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.29: દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે. દિવાળી નિમિત્તે ધનતેરસના શુભ દિવસે એટલે કે તારીખ 29 ઓક્‍ટોબર મંગળવારે નવસારીનાં દુધિયા તળાવ સ્‍થિત આશાપુરી મંદિર હોલ ખાતે જેસીઆઈ નવસારી દ્વારા રંગોળી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 25 જેટલા સ્‍પર્ધકોએભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં રીટાબેન કૌર તેમજ પ્રજ્ઞાબેન સોનીએ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે સોનલ નાયક, દ્વિતીય ક્રમે મયુર પટેલ, તૃતીય ક્રમે વિધિ ગોળવાળા તેમજ ચોથા ક્રમે મેઘના પટેલ રહ્યાં હતાં. રંગોળી સ્‍પર્ધાના પ્રોજેક્‍ટ ચેરમેન જેસી હર્ષદા સાકરીયા, પ્રોજેકટ ડિરેક્‍ટર જેસી જેસલ શાહ, પ્રો. કન્‍સલ્‍ટસન જેસી નિમિષા પરીખ રહ્યાં હાજર રહ્યાં હતાં.
જેસીઆઇ નવસારીનાં હાલના પ્રમુખ જેસી જલ્‍પેશ સાકરીયા તેમજ ગત વર્ષનાં પ્રમુખ જેસી કામિનીબેન શુકલ હાજર રહી સ્‍પર્ધકોનો ઉત્‍સાહ વધાર્યો હતો. જેસી ધર્મિષ્ઠા મહેતા જેજે રીદયા સાવલા તેમજ જેજે પાર્થ ટોપીવાલાએ હાજરી આપી હતી. દરેક સ્‍પર્ધકને ઓલ બ્રાઇટ તરફથી સફાઈ સ્‍પોન્‍જ આપવામાં આવ્‍યા હતા.

Related posts

ચીખલી ખુંધના નારી સંરક્ષણ કેન્દ્રઍ અન્ય રાજ્યની મહિલાને તેમના પરિવાર સાથે મિલન કરાવી બજાવેલી ઉમદા કામગીરી

vartmanpravah

મતદાન કરી આંગળીએ શાહીનું નિશાન બતાવો અને મેળવો: વલસાડ જિલ્લામાં મતદાન પ્રોત્‍સાહિત કરવા વિવિધ શો-રૂમ, હોટલોએ આકર્ષક સ્‍કીમ અમલમાં મુકી

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.માં બલિદાન દિવસ નિમિતે ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી ભાવાંજલિ

vartmanpravah

સંઘપ્રદેશના ભાજપ પ્રભારી તરીકે વિજ્‍યા રહાટકરે સંગઠનને નવી દિશા આપી લોકાભિમુખ બનાવવા કરેલો પ્રયાસ

vartmanpravah

વાપી-વલસાડ રેલવે લાઈન વચ્ચે બે અકસ્માત સર્જાયા: સરોધી નજીક અજાણ્‍યાએ આપઘાત કર્યો : વલસાડ સ્‍ટેશને યુવાન પટકાયો

vartmanpravah

પારડીના જલારામ નગર ખાતેથી મોડી રાત્રે મહાકાય અજગરનું રેસ્‍કયું કરતા જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્‍સારી

vartmanpravah

Leave a Comment