June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના ભાજપ આગેવાનો મહારાષ્‍ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુંબઈ ગોરેગાંવ બેઠકના પ્રચાર માટે કાર્યરત થયા

ગોરેગાંવ બેઠક ચૂંટણીની જવાબદારી પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારને સોંપાઈ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: આગામી તા.20 નવેમ્‍બરના રોજ મહારાષ્‍ટ્ર વિધાનસભા સામાન્‍ય ચૂંટણી યોજાઈ રહી છે ત્‍યારે પ્રચાર ચરમ સીમા ઉપર છે. મુંબઈ ગોરેગાંવ સહિત મહાયુતિ ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે વાપીથી ભાજપના આગેવાનોનું પ્રતિનિધિ મંડળ પહોંચ્‍યું છે અને ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્‍યું છે.
મહારાષ્‍ટ્ર વિધાનસભા ચૂંટણી ગોરેગાંવ બેઠકની જવાબદારી ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમારને સોંપાઈ છે. આ બેઠક ઉપર પૂર્વ રાજ્‍યમંત્રી અને ઉત્તર ભારતીય નેતા વિદ્યા ઠાકૂર ત્રીજીવાર ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્‍યું છે. તેમના ચૂંટણી પ્રચાર માટે વાપીથી નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, વાપી મંડળ ભાજપા પ્રમુખ બી.કે. દાયમા, ભાનુશાલી સમાજના અગ્રણી મૂળજીભાઈ કટારમલ સહિત કાર્યકર્તા, રાજસ્‍થાની સમાજ સંગઠનના આગેવાનો, પ્રવાસી ગુજરાતી સંગઠનો, ભાજપા ઉમેદવાર વિદ્યા ઠાકુરના ચૂંટણી પ્રચાર માટે મોટી સંખ્‍યામાં જોડાયા છે. કાર્યકર્તાઓ મુંબઈ, મલાડ, ગોરેગાંવ અને વિલેપાર્લે સહિત જુદા જુદા ક્ષેત્રોમાં સઘન પ્રચારની જવાબદારી અદા કરી રહ્યા છે. જ્‍યારે અનુસૂચિત જાતિ મોરચા પ્રદેશ ઉપ પ્રમુખ વસંત પરમાર (છીરી) અંબરનાથ વિધાનસભા બેઠકના ઉમેદવાર ડો.બાલાજી કિનીકરના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરીરહ્યા છે. હરિયાણાની જીત બાદ ભાજપના કાર્યકરોમાં પોતાના ઉમેદવારની જીત સુનિヘતિ કરવા કોઈ કસર છોડી રહ્યા નથી. પ્રત્‍યેક વિધાનસભા સીટ ઉપર ગુજરાત ભાજપને જવાબદારી સોંપાઈ છે.

Related posts

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના અધ્‍યક્ષસ્‍થાને સાયબર ક્રાઈમ અંગે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસન ઊર્જા મંત્રાલયના આદેશનું પાલન કરશે : ટોરેન્‍ટ પાવરને ન્‍બ્‍ત્‍ સોંપવાની તૈયારી

vartmanpravah

દમણ-દલવાડાના સુપ્રસિદ્ધ વાસુકીનાથ મંદિરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથામાં શ્રી કૃષ્‍ણની બાળ લીલાનું વર્ણન સાંભળી મંત્રમુગ્‍ધ બનેલા શ્રદ્ધાળુઓ

vartmanpravah

પહેલા જ વરસાદે વાપી ચણોદ કોલોનીને મળેલી ભેટ : આંતરિક રસ્‍તાઓ બેહાલ બન્‍યા

vartmanpravah

સેલવાસમાં સ્‍વસ્‍વરૂપ સંપ્રદાય જગદ્‌ગુરુ નરેન્‍દ્રાચાર્ય મહારાજ સંસ્‍થા દ્વારા રક્‍તદાન શિબિર યોજાશે

vartmanpravah

ચીખલીના નોગામા ગ્રામ પંચાયતની ખાસ સામાન્‍ય સભામાં મહિલા સરપંચ સામે પણ બહુમિતથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર

vartmanpravah

Leave a Comment