April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના ભાજપ આગેવાનો મહારાષ્‍ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુંબઈ ગોરેગાંવ બેઠકના પ્રચાર માટે કાર્યરત થયા

ગોરેગાંવ બેઠક ચૂંટણીની જવાબદારી પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારને સોંપાઈ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: આગામી તા.20 નવેમ્‍બરના રોજ મહારાષ્‍ટ્ર વિધાનસભા સામાન્‍ય ચૂંટણી યોજાઈ રહી છે ત્‍યારે પ્રચાર ચરમ સીમા ઉપર છે. મુંબઈ ગોરેગાંવ સહિત મહાયુતિ ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે વાપીથી ભાજપના આગેવાનોનું પ્રતિનિધિ મંડળ પહોંચ્‍યું છે અને ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્‍યું છે.
મહારાષ્‍ટ્ર વિધાનસભા ચૂંટણી ગોરેગાંવ બેઠકની જવાબદારી ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમારને સોંપાઈ છે. આ બેઠક ઉપર પૂર્વ રાજ્‍યમંત્રી અને ઉત્તર ભારતીય નેતા વિદ્યા ઠાકૂર ત્રીજીવાર ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્‍યું છે. તેમના ચૂંટણી પ્રચાર માટે વાપીથી નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, વાપી મંડળ ભાજપા પ્રમુખ બી.કે. દાયમા, ભાનુશાલી સમાજના અગ્રણી મૂળજીભાઈ કટારમલ સહિત કાર્યકર્તા, રાજસ્‍થાની સમાજ સંગઠનના આગેવાનો, પ્રવાસી ગુજરાતી સંગઠનો, ભાજપા ઉમેદવાર વિદ્યા ઠાકુરના ચૂંટણી પ્રચાર માટે મોટી સંખ્‍યામાં જોડાયા છે. કાર્યકર્તાઓ મુંબઈ, મલાડ, ગોરેગાંવ અને વિલેપાર્લે સહિત જુદા જુદા ક્ષેત્રોમાં સઘન પ્રચારની જવાબદારી અદા કરી રહ્યા છે. જ્‍યારે અનુસૂચિત જાતિ મોરચા પ્રદેશ ઉપ પ્રમુખ વસંત પરમાર (છીરી) અંબરનાથ વિધાનસભા બેઠકના ઉમેદવાર ડો.બાલાજી કિનીકરના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરીરહ્યા છે. હરિયાણાની જીત બાદ ભાજપના કાર્યકરોમાં પોતાના ઉમેદવારની જીત સુનિヘતિ કરવા કોઈ કસર છોડી રહ્યા નથી. પ્રત્‍યેક વિધાનસભા સીટ ઉપર ગુજરાત ભાજપને જવાબદારી સોંપાઈ છે.

Related posts

વલોટી ગામની પરિણીતા ચીખલીના બામણવેલ ગામેથી ગુમ થતાં ફરિયાદ નોંધાઇ

vartmanpravah

ઉમરકુઇ ગામની મેસર્સ યુ.ડી.ફાર્મા રબર લિમિટેડ કંપનીના કર્મચારીઓ લઘુત્તમ વેતનના મુદ્દે હડતાળ પર ઉતર્યા

vartmanpravah

દમણ બાલ ભવનના બાળકોએ લીધેલી અભિનવ ઈન્‍ડસ્‍ટ્રીઝની મુલાકાત

vartmanpravah

વલસાડ ડેપોમાં બસોની કાયમી અનિયમિતતાને લઈ મુસાફરોએ બસ અવર જવર રોકી ડેપો માથે લીધું

vartmanpravah

મહેસાણાથી પારડી મામાને ત્‍યાં આવેલ સગીરા ભાણેજ ગુમ, મામાએ નોંધાવી અપહરણની ફરિયાદ

vartmanpravah

વલસાડ જિલ્લા વિ.પ્ર. ફાઉન્‍ડેશનના પૂર્વ અધ્‍યક્ષ સ્‍વ.સુરેશ પારીકની વાપીરાજસ્‍થાન ભવનમાં શ્રધ્‍ધાંજલી સભાઈ યોજાઈ

vartmanpravah

Leave a Comment