Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી સમરોલી સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દસ વર્ષ પૂર્ણ થતા હરિભક્તો દ્વારા દિવ્યતા અને ભવ્યતા સાથે કરવામાં આવેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: કારતક સુદ પૂર્ણિમાના દેવ દિવાળીના દિવસે રામનગર સ્‍થિત બીએપીએસ સ્‍વામિનારાયણ ભગવાનના મંદિરના દસ વર્ષ પૂર્ણ થતાં હરિભક્‍તો દ્વારા ભગવાનના વિશેષ શણગાર સાથે ઘરેથી જાતે બનાવેલ 535 જેટલી વાનગીઓ લાવી ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલા તિથલ મંદિરના કોઠારી સ્‍વામી વિવેક સ્‍વરૂપ સ્‍વામીએ અક્ષરપુરુષોત્તમ સિધ્‍ધાંતની વિસ્‍તાર પૂર્વક વાતોકરી મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત હરિભક્‍તોને કથાવાર્તાનો લાભ આપી આશીર્વચન આપ્‍યા હતા. અંતમાં યોજાયેલા મહાપ્રસાદનો પણ અનેક હરિભક્‍તોએ લાભ લીધો હતો. સ્‍વામિનારાયણ મંદિર લાઈટો અને દીવડાઓના ઝગમગાટથી ઝળહળી ઉઠ્‍યું હતું.

Related posts

સમરોલીમાં નવનિર્માણ શાળાના ઓરડાનું બાંધકામ 14 માસથી બંધ! શિક્ષણ મંત્રીએ રૂબરૂ સ્‍થળ મુલાકાત લઈ એક અઠવાડિયામાં કામ ચાલુ કરવાની આપેલી ખાતરીનું સૂરસૂરિયું

vartmanpravah

ઘેજ ગામની સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

વલસાડ તાલુકા ના ધરાસણા ગામ ના ચિલ્ડ્રન હોમ ની બાળાઓ ને વસ્ત્રો નું વિતરણ કરાયું

vartmanpravah

ઉમરગામ મામલતદાર કચેરીમાં પારદર્શક વહીવટનો અભાવ

vartmanpravah

પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ યોજના અંતર્ગત સસ્‍તા અનાજની દુકાનમાંથી ડીસેમ્‍બર મહિનાનું અનાજ મેળવી લેવા બાબત

vartmanpravah

સેલવાસની ગુરુદેવ સોસાયટીમાં કોઈક વ્‍યક્‍તિએ ઝેરયુક્‍ત ખોરાક ખવડાવતા પાંચ ગલુડિયાંના થયેલા મોત

vartmanpravah

Leave a Comment