August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ડી.આઈ.જી. મિલિંદ મહાદેવ દુમ્‍બેરેનામાર્ગદર્શન અને દિશા-નિર્દેશમાં સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ અગ્નિશમન વિભાગ દ્વારા કર્મચારીઓ માટે શારીરિક ફિટનેશ શિબિરનો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : અગ્નિશમન અને કટોકટી સેવા વિભાગમાં અગ્નિશમન કર્મચારીઓને હંમેશા વિવિધ પ્રકારની કટોકટીઓમાં ચુસ્‍તી અને તત્‍પરતાથી કાર્ય કરવા પડતું હોય છે. જેના લઈને અગ્નિશમન સેવા વિભાગના કર્મચારીઓને શારીરિક અને માનસિક રીતે તંદુરસ્‍ત રહેવું ખુબ જ જરૂરી છે.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અગ્નિશમન કર્મચારીઓની તંદુરસ્‍તીને ધ્‍યાનમાં રાખીને દર વર્ષે નવેમ્‍બરથી ફેબ્રુઆરી દરમિયાન 4 મહિના સુધી શિયાળાની ઋતુમાં શારીરિક ફિટનેશ શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે. જેની કડીમાં આ વર્ષે પણ અગ્નિશમન અને કટોકટી સેવા વિભાગ, દાદરા નગર હવેલી અને દમણ-દીવના ડી.આઈ.જી. શ્રી મિલિંદ મહાદેવ દુમ્‍બેરે(આઈ.પી.એસ.)ના દિશા-નિર્દેશમાં શિયાળાની ઋતુમાં શારીરિક ફિટનેશ શિબિરનો પ્રારંભ કરી દેવામાં આવ્‍યો છે. જે ફેબ્રુઆરી, 2025 સુધી ચાલુ રહેશે.

Related posts

વલસાડના ધારાસભ્‍યએ ગૃહમંત્રીને પત્ર લખ્‍યો: મુસ્‍લિમોના તાજીયા 15 પૂટથી ઊંચા માટે છૂટ-ગણેશ મૂર્તિ માટે 9 ફૂટનો પરિપત્ર

vartmanpravah

અયોધ્‍યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ નિમિત્તે દમણના ‘દિલીપનગર ડેવલપમેન્‍ટ એસો.’ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ભક્‍તોનું ઉમટેલું ઘોડાપૂર

vartmanpravah

નેશનલ હાઈવેના જીવલેણ બની રહેલા ખાડાઓએ વલસાડ નજીક ડુંગરીના પિતા, માતા, પૂત્રીનો ભોગ લીધો

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કપરાડાના સુથારપાડા ખાતે રૂ.3.72 કરોડના ખર્ચે નવનિર્મિત સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ

vartmanpravah

મશીન લર્નિંગ અને ડેટા માઈનિંગના ક્ષેત્રમાં સંશોધનના આધારે દમણની સરકારી પોલીટેકનિક કોલેજ દ્વારા ડો. અરૂણાને IUCAA એસોસિએટશીપ શોધ પુરસ્‍કારથી પુરસ્‍કૃત કરાયા

vartmanpravah

વલસાડ મોગરાવાડી અક્ષરધામ બંગલામાં ધોળા દિવસે ચોરી : સોનાનું મંગલસુત્ર અને રોકડા ચોરાઈ ગયા

vartmanpravah

Leave a Comment