April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતનવસારીપારડીવલસાડવાપી

નર્મદા સેવા અને શ્રમ શિબિરમાં ભાગ લેવા અરજી કરવા અપીલ

વલસાડ તા.૦૪: કમિશનર, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે યુવા વિકાસ અધિકારી નર્મદા દ્વારા નર્મદા સેવા અને શ્રમ શિબિર-૨૦૨૧-૨૨ અંતર્ગત ૭ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં રાજ્‍યભરમાંથી ૧૫૦ યુવક-યુવતીઓને તક મળશે.

આ શિબિરમાં જોડાવા ઇચ્‍છતા યુવક-યુવતીઓ કે જેમની ઉંમર ૧૫ થી ૩૫ વર્ષ હોય તેમણે સાદા કાગળ ઉપર પોતાનું નામ સરનામું, મોબાઇલ નંબર, જન્‍મતારીખ, શૈક્ષણિક લાયકાત, વ્‍યવસાય, એન.સી.સી/ પર્વતારોહણ/ રમતગમત સ્‍પર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્‍તી ધરાવતા હોવાનું દાક્‍તરી પ્રમાણપત્ર, વાલીની સંમતિ, તાજેતરમાં પડાવેલો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઓળખકાર્ડ, અગાઉ આ કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો તેની વિગત વગેરે માહિતી દર્શાવતી અરજી તા.૧૦/૨/૨૦૨૨ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, બીજો માળ, રૂમ નંબર ૨૧૭, જિલ્લા સેવા સદન, રાજપીપળા-નર્મદાને મોકલી આપવાની રહેશે.

આ શિબિરમાં જોડાવા માટે પસંદગી સમિતિ દ્વારા યોગ્‍યતા ધરાવતા ૧૫૦ યુવક યુવતીઓની પસંદગી કરવામાં આવશે. માત્ર પસંદગી પામેલા યુવક-યુવતીઓને ફોન/ પત્ર જાણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા યુવક-યુવતીઓને નિવાસ, ભોજન તથા આવવા-જવાનું ભાડું સરકાર તરફથી આપવામાં આવશે, એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

પાકિસ્‍તાનનું નિર્માણ તો 1947માં થયું, પરંતુ એ વિભાજનનું વાતાવરણ મુસ્‍લિમ સમાજે ગામેગામ અને શેરીઓમાં તોફાનો કરતા રહીને તૈયાર કર્યું હતું

vartmanpravah

ચીખલી એપીએમસીમાં લાભ પાંચમથી ચીકુની હરાજીનો પ્રારંભ

vartmanpravah

પાવરગ્રિડના નિર્દેશક (પરિયોજના)નો કાર્યભાર સંભાળતા બુર્રા વામસી રામ મોહન

vartmanpravah

દાનહ વન વિભાગની ટીમે ખરડપાડા ગામે જંગલમાંથી સાગના લાકડા કાપતા ઈસમની કરી ધરપકડ

vartmanpravah

દાનહમાં તેરાપંથ ધર્મસંઘના અગિયારમાં આચાર્ય મહાશ્રમણજીની થયેલી પધરામણી

vartmanpravah

ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા ગોવા, દમણ અને દીવના પોર્ટુગીઝ રાષ્‍ટ્રીય કાયદા મુજબ રાષ્‍ટ્રીયતા ધરાવતા નાગરિકોને વિઝા/એક્‍ઝિટ પરમિશન માટે પડતી સમસ્‍યાનું નિદાન કરાયું

vartmanpravah

Leave a Comment