આટિયાવાડ પોલીસ સ્ટેશનની પાસે ઓલિવ હેલ્થ કેરના ગેટ નં.1ના નજીકથી કુલોદય ઈન્ડસ્ટ્રીઝના રસ્તા ઉપર પડેલા મોટા ખાડા-ખાબોચિયાથી અકસ્માતને મળી રહેલું આમંત્રણઃ દરરોજ પાંચથી 10 હજાર લોકોની થતી અવર-જવર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. 20
દમણના આટિયાવાડ ભાજપ મંડળના પ્રમુખ શ્રી તિમિર રામુભાઈ પટેલે આટિયાવાડ પોલીસ સ્ટેશનથી કુલોદય ઈન્ડસ્ટ્રીઝ સુધીના રસ્તાનું રિપેરિંગ કરવા અને ઠેર ઠેર પડેલા ખાડાઓપુરવા જાહેર બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રીને રજૂઆત કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આટિયાવાડ મંડળના ભાજપ પ્રમુખ શ્રી તિમિર રામુભાઈ પટેલે આટિયાવાડ પોલીસ સ્ટેશનની પાસે ઓલિવ હેલ્થ કેરના ગેટ નં.1ના નજીકથી કુલોદય ઈન્ડસ્ટ્રીઝના રસ્તા ઉપર ખુબ મોટા ખાડા પડેલા છે જેના કારણે પ્રાણઘાતક અકસ્માત થવાની સંભાવના રહે છે. આ રસ્તા ઉપરથી પ્રતિદિન 5000થી 10 હજાર જેટલા લોકોની અવર-જવર રહે છે. આ ખાડાનું સ્વરૂપ એટલું મોટું છે કે, નાના અને મોટા બંને વાહનોને ભારે અગવડતાનો સામનો કરવો પડે છે. તેથી આ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવા અને પડેલા ખાડાઓ ભરવા વિનંતી કરવામાં આવી છે. તેમણે ભય પણ વ્યક્ત કર્યો છે કે, આ ખાડાઓ નહીં પુરાયા તો પ્રાણઘાતક અકસ્માત થવાની પણ સંભાવના છે.