Vartman Pravah
Breaking Newsદમણ

આટિયાવાડ કુલોદય ઈન્‍ડસ્‍ટ્રીઝના રસ્‍તાના સમારકામ માટે પીડબ્‍લ્‍યુડીના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરતા મંડળ ભાજપ પ્રમુખ તિમિર પટેલ

આટિયાવાડ પોલીસ સ્‍ટેશનની પાસે ઓલિવ હેલ્‍થ કેરના ગેટ નં.1ના નજીકથી કુલોદય ઈન્‍ડસ્‍ટ્રીઝના રસ્‍તા ઉપર પડેલા મોટા ખાડા-ખાબોચિયાથી અકસ્‍માતને મળી રહેલું આમંત્રણઃ દરરોજ પાંચથી 10 હજાર લોકોની થતી અવર-જવર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 20
દમણના આટિયાવાડ ભાજપ મંડળના પ્રમુખ શ્રી તિમિર રામુભાઈ પટેલે આટિયાવાડ પોલીસ સ્‍ટેશનથી કુલોદય ઈન્‍ડસ્‍ટ્રીઝ સુધીના રસ્‍તાનું રિપેરિંગ કરવા અને ઠેર ઠેર પડેલા ખાડાઓપુરવા જાહેર બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રીને રજૂઆત કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આટિયાવાડ મંડળના ભાજપ પ્રમુખ શ્રી તિમિર રામુભાઈ પટેલે આટિયાવાડ પોલીસ સ્‍ટેશનની પાસે ઓલિવ હેલ્‍થ કેરના ગેટ નં.1ના નજીકથી કુલોદય ઈન્‍ડસ્‍ટ્રીઝના રસ્‍તા ઉપર ખુબ મોટા ખાડા પડેલા છે જેના કારણે પ્રાણઘાતક અકસ્‍માત થવાની સંભાવના રહે છે. આ રસ્‍તા ઉપરથી પ્રતિદિન 5000થી 10 હજાર જેટલા લોકોની અવર-જવર રહે છે. આ ખાડાનું સ્‍વરૂપ એટલું મોટું છે કે, નાના અને મોટા બંને વાહનોને ભારે અગવડતાનો સામનો કરવો પડે છે. તેથી આ રસ્‍તાનું તાત્‍કાલિક સમારકામ કરવા અને પડેલા ખાડાઓ ભરવા વિનંતી કરવામાં આવી છે. તેમણે ભય પણ વ્‍યક્‍ત કર્યો છે કે, આ ખાડાઓ નહીં પુરાયા તો પ્રાણઘાતક અકસ્‍માત થવાની પણ સંભાવના છે.

Related posts

વાપીમાં એકમાત્ર સાર્વજનિક નવરાત્રી ઉત્‍સવ એટલે અંબામાતા મંદિરનો : રોજ રાત્રે માનવ મહેરામણ ઉમટી પડે છે

vartmanpravah

ટોરેન્‍ટ પાવરના કોન્‍ટ્રાકટ હેઠળ ઈલેક્‍ટ્રીકનું કામ કરતી વેળા કરંટ લાગતા સ્‍થળ ઉપર મોતને ભેટલા મુકેશ વાઘના પરિવારને યોગ્‍ય વળતર આપવા દાનહ જિ.પં. પ્રમુખ નિશા ભવરે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

કેન્‍દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના સચિવ અનિલકુમાર ઝાએ ધરમપુરના માલનપાડાની એકલવ્‍ય સ્‍કૂલ અને ટ્રેનિંગ સેન્‍ટરની મુલાકાત લીધી

vartmanpravah

દમણ મહિલા મંડળ દ્વારા 1988થી આજપર્યંત શેરી ગરબા દ્વારા પરંપરા અને સંસ્‍કૃતિનું થઈ રહેલું જતન

vartmanpravah

વાપીમાં ભારતરત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની દબદબાપૂર્વક ઉજવણી

vartmanpravah

શ્રીસ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખેલમહાકુંભમાં ઝળકી

vartmanpravah

Leave a Comment