March 3, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણવાડા વિભાગના જિ.પં.સભ્‍ય ફાલ્‍ગુનીબને પટેલે વિવિધ સેલ્‍ફ હેલ્‍પ ગૃપની રચના કરી મહિલાઓને આત્‍મનિર્ભર બનવા આપેલી પ્રેરણા

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર ભારતના સપનાને સાર્થક કરવા સેલ્‍ફ હેલ્‍પ ગૃપના માધ્‍યમથી એનઆરએલએમ દ્વારા થઈ રહેલો પ્રયાસ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20
દમણવાડા વિભાગના જિ.પં. સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલના નેતૃત્‍વમાં આજરોજ મહિલાઓ સેલ્‍ફ હેલ્‍પગૃપમાં જોડાઈ હતી. જેમાં દાભેલ કુંભાર ફળિયા (1) લક્ષ્મી સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપમાં 10 મહિલાઓ (ર) શિવશક્‍તિ સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપમાં-10 મહિલાઓ અને મગરવાડા શિવકૃપા સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપમાં-1ર મહિલાઓ જ્‍યારે પટલારાના મહાલક્ષ્મી સેલ્‍ફ હેલ્‍પ ગૃપમાં 11 મહિલાઓ જોડાઈ હતી.
આ અવસરે શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે જણાવ્‍યું હતું કે, દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનાં સ્‍વપ્ન અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સહયોગથી અમે દમણની ધરતી પર બહેનોને આત્‍મનિર્ભર બનાવી પરિપૂર્ણ કરવા જઈ રહ્યા છે અને બહેનોનો ઉત્‍સાહ જોઈ તેમણે ખુશી વ્‍યક્‍ત કરી હતી.
શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલે વધુમાં જણાવ્‍યું હતું કે, બહેનો હવે આત્‍મનિર્ભર બનવા માટે જાગૃત બની રહી છે અને ઘરની બહાર નિકળી તાલીમ લઈ પોતાની પ્રતિભાને પણ નિખારવા જઈ રહી છે જે માટે હું સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ તેમજ પ્રશાસનની ટીમનો તેમજ પાર્ટીના પ્રમુખ તેમજ પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકરનો આભાર વ્‍યક્‍ત કરું છું. તેમણે એનઆરએલએમ ટીમનો પણ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
હવે બહેનો મશરૂમ, પાપડ, આચાર, પાપડ પેકેજીંગ, સિવણ જેવી વિવિધ તાલીમ લઈ પોતાની પ્રતિભાને ખિલવી આત્‍મનિર્ભર બની સમાજ તેમજ દેશના વિકાસમાં પોતાનો ફાળોઆપશે.

Related posts

વાપીની આશાધામ સ્‍કૂલમાં કર્મચારીઓનો સંચાલકો સાથે વિવાદઃ સમાન વેતન હક્ક આપવા કરેલી માંગ

vartmanpravah

સેલવાસ ન.પા.માં સ્‍ટેન્‍ડિંગ કમીટિના ચેરમેનતરીકે પૂર્વ પ્રમુખ રાકેશસિંહ ચૌહાણની નિયુક્‍તિઃ પબ્‍લિક વર્ર્ક્‍સ કમીટિના ચેરમેન તરીકે પૂર્વ ઉપ પ્રમુખ અજયભાઈ દેસાઈની વરણી

vartmanpravah

વલસાડ શહેર પોલીસ, વલસાડ ફિઝિશીયન ઍસોસિઍશન અને વલસાડ ઍમ.આર. ઍસોસિઍશન દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

vartmanpravah

દમણ-દીવ સાંસદ-11નો મર્જર કપ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ ઉપર કબ્‍જો : રનર્સ અપ બનેલી જિલ્લા પંચાયત

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશમાં 6 મહિનાના બાળકોથીલઈ 18 વર્ષ સુધીના તમામ યુવક-યુવતિઓની આરોગ્‍યની થઈ રહેલી તપાસ

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં રાષ્‍ટ્રીય એકતા દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment