March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં વલસાડ જિલ્લામાં તા.28 નવે. થી તા.1 ડિસે. સુધી વિકાસ કાર્યોના કાર્યક્રમો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27: રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તા.28/11/24ને ગુરૂવારના રોજ સવારે 9 કલાકે વાપીથી વલસાડ જવા રવાના થશે. 9-30 કલાકે ઔરંગા નદી પર પુલ, શાક માર્કેટના બાંધકામ, વલસાડ સ્‍ટેટ હાઈવે, આરપીએફ ઓવરબ્રિજથી પારનેરા ફોરલેન કારપેટીંગ, તિથલ-ધરમપુર ચોકડી રોડનું કારપેટીંગ અને વલસાડ નગરપાલિકાના વિવિધ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહેશે. આ વિવિધ કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમના સ્‍થળ (1) અબ્રામા ધરમપુર રોડ એસટી વર્કશોપ, (2) ઔરંગા બ્રિજ પાસેવલસાડ – ગુંદલાવ રોડ અને (3) શાકભાજી માર્કેટ, વલસાડ રહેશે. કાર્યક્રમો પૂર્ણ થયે વાપીમાં મત વિસ્‍તારોની મુલાકાત લેશે. તા.29/11/24ને શુક્રવારે સવારે 9-30 કલાકે વાપી જીઆઈડીસીના વીઆઈએ ખાતે ઓડીટોરિયમનું ખાતમુહૂર્ત કરશે. ત્‍યારબાદ 10 કલાકે પરિયા સ્‍કૂલ ખાતે બીઆરસી કક્ષાના વિજ્ઞાન મેળામાં ઉપસ્‍થિત રહેશે.
તા.30/11/24ને શનિવારે સવારે 9 કલાકે વાપીથી ચલા જવા રવાના થશે. 9-30 કલાકે ચલામાં 66 કે.વી. સબ સ્‍ટેશનનું ભૂમિ પૂજન અને 10-30 કલાકે છીરી ખાતે 66 કેવી સબ સ્‍ટેશનનું ભૂમિ પૂજન વિધિ કરશે. તા.01/12/24ને રવિવારે સવારે 8-30 કલાકે વાપીથી દેગામ જવા રવાના થશે. 9-30 કલાકે દેગામમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ આયોજિત કંપાઉન્‍ડ વોલના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્‍થિત રહેશે.

Related posts

વલસાડ તાલુકા ના ધરાસણા ગામ ના ચિલ્ડ્રન હોમ ની બાળાઓ ને વસ્ત્રો નું વિતરણ કરાયું

vartmanpravah

નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં કાલ ન્‍યુપોર્ટની “Deep Work” પુસ્‍તક પર વાર્તાલાપ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકાના ચિતાલી ગામેથી બે વર્ષીય દીપડો પાંજરે પુરાતા સ્‍થાનિકોમાં રાહત

vartmanpravah

ઉમરગામ બાળકી દુષ્‍કર્મ ઘટના અંગે અફવાથી દૂર રહેવાની પોલીસની અપીલ

vartmanpravah

શ્રી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિંગ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસ અને ઉત્‍સાહભેર કરાયેલું સ્‍વાગત

vartmanpravah

પારડી ફાટક વચ્‍ચે મુંબઈ પોરબંદર એક્‍સપ્રેસના વ્‍હિલમાં ખામી સર્જાતા ટ્રેન કલાકો સુધી અટકી પડી

vartmanpravah

Leave a Comment