September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં વલસાડ જિલ્લામાં તા.28 નવે. થી તા.1 ડિસે. સુધી વિકાસ કાર્યોના કાર્યક્રમો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27: રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તા.28/11/24ને ગુરૂવારના રોજ સવારે 9 કલાકે વાપીથી વલસાડ જવા રવાના થશે. 9-30 કલાકે ઔરંગા નદી પર પુલ, શાક માર્કેટના બાંધકામ, વલસાડ સ્‍ટેટ હાઈવે, આરપીએફ ઓવરબ્રિજથી પારનેરા ફોરલેન કારપેટીંગ, તિથલ-ધરમપુર ચોકડી રોડનું કારપેટીંગ અને વલસાડ નગરપાલિકાના વિવિધ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં ઉપસ્‍થિત રહેશે. આ વિવિધ કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમના સ્‍થળ (1) અબ્રામા ધરમપુર રોડ એસટી વર્કશોપ, (2) ઔરંગા બ્રિજ પાસેવલસાડ – ગુંદલાવ રોડ અને (3) શાકભાજી માર્કેટ, વલસાડ રહેશે. કાર્યક્રમો પૂર્ણ થયે વાપીમાં મત વિસ્‍તારોની મુલાકાત લેશે. તા.29/11/24ને શુક્રવારે સવારે 9-30 કલાકે વાપી જીઆઈડીસીના વીઆઈએ ખાતે ઓડીટોરિયમનું ખાતમુહૂર્ત કરશે. ત્‍યારબાદ 10 કલાકે પરિયા સ્‍કૂલ ખાતે બીઆરસી કક્ષાના વિજ્ઞાન મેળામાં ઉપસ્‍થિત રહેશે.
તા.30/11/24ને શનિવારે સવારે 9 કલાકે વાપીથી ચલા જવા રવાના થશે. 9-30 કલાકે ચલામાં 66 કે.વી. સબ સ્‍ટેશનનું ભૂમિ પૂજન અને 10-30 કલાકે છીરી ખાતે 66 કેવી સબ સ્‍ટેશનનું ભૂમિ પૂજન વિધિ કરશે. તા.01/12/24ને રવિવારે સવારે 8-30 કલાકે વાપીથી દેગામ જવા રવાના થશે. 9-30 કલાકે દેગામમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ આયોજિત કંપાઉન્‍ડ વોલના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્‍થિત રહેશે.

Related posts

વાપી છરવાડા સંસ્‍કાર વિદ્યાપીઠમાં સ્‍વાસ્‍થ્‍ય તપાસ શિબિર યોજાઈ : 250 દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

દાનહ-સાયલી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

કપરાડાથી મહારાષ્‍ટ્ર સુધી બાઈક ચોરી કરતી ગેંગના બે આરોપી ઝડપાયા, એક ફરાર

vartmanpravah

દાનહમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન

vartmanpravah

વલસાડ જિલ્લામાં ફરી કોરોના માથુ ઉંચકી રહ્યો છે: છીરી, અંભેટીના નવા બે કેસ સાથે 36 એક્‍ટિવ કેસ

vartmanpravah

દાનહમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

Leave a Comment