(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.27: રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તા.28/11/24ને ગુરૂવારના રોજ સવારે 9 કલાકે વાપીથી વલસાડ જવા રવાના થશે. 9-30 કલાકે ઔરંગા નદી પર પુલ, શાક માર્કેટના બાંધકામ, વલસાડ સ્ટેટ હાઈવે, આરપીએફ ઓવરબ્રિજથી પારનેરા ફોરલેન કારપેટીંગ, તિથલ-ધરમપુર ચોકડી રોડનું કારપેટીંગ અને વલસાડ નગરપાલિકાના વિવિધ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ વિવિધ કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમના સ્થળ (1) અબ્રામા ધરમપુર રોડ એસટી વર્કશોપ, (2) ઔરંગા બ્રિજ પાસેવલસાડ – ગુંદલાવ રોડ અને (3) શાકભાજી માર્કેટ, વલસાડ રહેશે. કાર્યક્રમો પૂર્ણ થયે વાપીમાં મત વિસ્તારોની મુલાકાત લેશે. તા.29/11/24ને શુક્રવારે સવારે 9-30 કલાકે વાપી જીઆઈડીસીના વીઆઈએ ખાતે ઓડીટોરિયમનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ 10 કલાકે પરિયા સ્કૂલ ખાતે બીઆરસી કક્ષાના વિજ્ઞાન મેળામાં ઉપસ્થિત રહેશે.
તા.30/11/24ને શનિવારે સવારે 9 કલાકે વાપીથી ચલા જવા રવાના થશે. 9-30 કલાકે ચલામાં 66 કે.વી. સબ સ્ટેશનનું ભૂમિ પૂજન અને 10-30 કલાકે છીરી ખાતે 66 કેવી સબ સ્ટેશનનું ભૂમિ પૂજન વિધિ કરશે. તા.01/12/24ને રવિવારે સવારે 8-30 કલાકે વાપીથી દેગામ જવા રવાના થશે. 9-30 કલાકે દેગામમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત કંપાઉન્ડ વોલના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેશે.