September 8, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

સંઘપ્રદેશમાં ખાલી પડેલ જિ.પં. અને ગ્રા.પં.ની બેઠકો માટેની પેટા ચૂંટણી 17મી ઓક્‍ટોબરે યોજાશે

દીવ જિ.પં.ના વોર્ડ નં.6/8 બુચરવાડા-એની બેઠક અને દાનહમાં કૌંચા ગ્રા.પં.ની વોર્ડ નં.6/8 અને ગલોન્‍ડા ગ્રા.પં.ની વોર્ડ નં.3/11ની બેઠક માટે થનારી પેટા ચૂંટણી
પેટાઃ
વિજેતા ઉમેદવારોના નિધનથી ખાલી પડેલી બેઠકો
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 21
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ખાલી પડેલ જિલ્લા અને ગ્રામ પંચાયતના સભ્‍યોની બેઠક માટેની પેટા ચૂંટણી 17મી ઓક્‍ટોબરના રોજ નિર્ધારિત કરવામાં આવી છે.
દાદરાનગર હવેલી ખાતે કૌંચા ગ્રામ પંચાયતના વોર્ડ નં.6/8માં શ્રી રમેશભાઈ ધવજીભાઈ દોડિયા અને ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નં.3/11માં શૈલેષભાઈ રમેશભાઈ પટેલનું નિધન થતાં આ બેઠકો ખાલી પડી હતી.
જ્‍યારે દીવ જિલ્લા પંચાયતમાં વોર્ડ નં.6/8 બુચરવાડા-એની બેઠક ઉપર ચૂંટાયેલા શ્રીમતી શાંતાબેન મનજીનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી.
પેટા ચૂંટણીના જાહેર થયેલા સમયપત્રક પ્રમાણે ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 28મી સપ્‍ટેમ્‍બર- 2021, ઉમેદવારી પત્રકની ચકાસણી 29મી સપ્‍ટેમ્‍બર અને ઉમેદવારી પત્રક ખેંચવાની અંતિમ તારીખ 1લી ઓક્‍ટોબર-2021ના બપોરના 3:00 વાગ્‍યા સુધી રહેશે. આ પેટા ચૂંટણી તા.17મી ઓક્‍ટોબર-2021ના રવિવારે સવારે 8 વાગ્‍યાથી સાંજે 5:00 વાગ્‍યા સુધી યોજાવાની હોવાનું ચૂંટણી કમિશનર શ્રી નરેન્‍દ્ર કુમારની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

વાપી જીઆઈડીસીમાં બે અલગ અલગ ઘટનાઓમાં બે કર્મચારીઓ મોતને ભેટયા

vartmanpravah

વલસાડના દુલસાડમાં ઘાસ લઈ જતા ટેમ્‍પામાં વીજતાર અડતા લાગી આગ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાનો વિસ્‍ફોટ, એક જ દિવસમાં71 પોઝિટિવ કેસ નોંધાયાઃ પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી સંક્રમિત: એક સાથે અધધ.. કેસ વધી જતાં તંત્રની ઊંઘ હરામ

vartmanpravah

સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન કરાતા ક્‍વોરી એસોસિએશને હડતાળનું શસ્ત્ર ઉગામતા ચીખલી સહિત નવસારી જિલ્લામાં બ્‍લેક ટ્રેપ ખનીજની 149 જેટલી લીઝ અને 70થી વધુ ક્રસર પ્‍લાન્‍ટો બંધ

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા ચીખલી-ગણદેવી સહિતના મત વિસ્‍તારોમાં સુકન્‍યા સમૃદ્ધિ યોજનામાં 800 જેટલી બાળાઓના ખાતાઓ ખોલી તેમના દ્વારા પ્રથમ પ્રીમિયની રકમ પણ જમા કરાવાઈ

vartmanpravah

ગુજરાત બોર્ડના સામાન્‍ય પ્રવાહના પરિણામમાં દમણ જિલ્લાની 6 શાળાનું પરિણામ 100 ટકાઃ સંઘપ્રદેશ પ્રશાસને શિક્ષણની ગુણવત્તા સુધારવા લીધેલા પગલાંની અસર

vartmanpravah

Leave a Comment