June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભાજપા સંગઠનમાં પ્રમુખ બનવાની વય મર્યાદા માટે નિર્ણય લેવાતા ઉમરગામ તાલુકામાં ઘણા કાર્યકર્તાઓના અરમાન પર ફરી વળેલુ પાણી

ભાજપા સંગઠન પર્વની કમલમ ખાતે મળેલી બેઠકમાં સંગઠનના તાલુકા પ્રમુખની 40 વર્ષ અને જિલ્લા તેમજ શહેર પ્રમુખની 60 વર્ષની મહત્તમ વય મર્યાદાનો લેવાયેલો મોટો નિર્ણયથી તાલુકા સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી અને ઉમરગામ શહેર પ્રમુખ સંજય જોષીની રીપીટ થવાની શકયતા નહીવત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.28: ભાજપા સંગઠનનું ચાલી રહેલું મહાપર્વમાં સંગઠનના પ્રમુખોની વયમર્યાદા નક્કી કરતો મહત્‍વનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. આ નિર્ણયને પગલે ઘણા કાર્યકર્તાઓના પ્રમુખબનવાની ઈચ્‍છા હવે મનમાં જ રહી જશે જ્‍યારે બીજી તરફ યુવાનોને સંગઠનના મહત્‍વના હોદ્દા પર કામ કરવાની તક પ્રાપ્ત થશે. ઉમરગામ તાલુકામાં ભાજપા સંગઠનના વર્તમાન પ્રમુખશ્રી દિલીપભાઈ ભંડારીનો કાર્યકાળ સફળ રહ્યો છે. શ્રી દિલીપભાઈ ભંડારી પાયાના કાર્યકર્તા છે અને લાંબા સમયથી સંગઠનમાં મહત્‍વનું યોગદાન આપી રહ્યા છે. એવી જ રીતે ઉમરગામ શહેર પ્રમુખ શ્રી સંજયભાઈ જોષી એમના સફળ કાર્યકાળ સાથે ફરી પ્રમુખ બનવાની ઈચ્‍છા જાહેરમાં બતાવી રહ્યા હતા. પરંતુ એમની વય મર્યાદા હવે નડતરરૂપ સાબિત થશે.
ઉમરગામ તાલુકામાંથી યુવાનોમાં 40 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા ઘણા કાર્યકર્તાઓ લાંબા સમયથી યુવા મોરચામાં મહત્‍વની ભૂમિકા ભજવેલી છે અને હાલમાં પણ સંગઠનમાં સક્રિય રહી મહત્‍વની કામગીરી બજાવી રહ્યા છે એવા કાર્યકર્તાઓને તક મળવાની શકયતા વધી જવા પામી છે. ઉમરગામ તાલુકામાંથી સોળસુંબાના માજી સરપંચ શ્રી અમિતભાઈ પટેલ, ફણસાના શ્રી આકાશભાઈ ગોસાઈ, તેવી જ રીતે યુવા સંગઠનમાં જિલ્લા મહામંત્રી અને હાલમાં તાલુકા સંગઠનમાં કોષાધ્‍યક્ષ તરીકે ફરજ બજાવી રહેલા ડો.નિરવ શાહ, ફણસાના ડો.આશિષ પટેલ સહિતના ઘણા યુવાનોમાંથી તક મળવાની શકયતા દેખાઈ રહી છે. ઉમરગામ શહેરમાં પણ શ્રી સમીરભાઈ કંસારા, શ્રી મનોજભાઈ ઝા, શ્રીમિહિરભાઈ સોનપાલ, શ્રી ગણેશભાઈ બારી વગેરે નામો પ્રકાશમાં આવી રહ્યા છે.

Related posts

દમણ જિલ્લા માટે ચૌપાલના નવતર પ્રયોગથી ગ્રામજનોમાં સુકા અને ભીના કચરા માટે આવી રહેલી જાગૃતિ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના કાર્યવાહક અધ્‍યક્ષ મૈત્રીબેન પટેલે ડીપીએલ-3ની નિહાળેલી મેચો

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસો.ના સંયુક્‍ત ઉપક્રમે દમણ સિવિલ અને ક્રિમિનલ કોર્ટમાં નવા વકીલોને આપવામાં આવેલીતાલીમ

vartmanpravah

ચીખલીની સ્‍પંદન હોસ્‍પિટલના સંચાલકો અને તબીબોએ દાખવેલી માનવતા : ડાંગ આહવાના ગરીબ પરિવારના સભ્‍યની એક મહિનાની સારવાર અને દવાનું રૂા. 1.પ0 લાખનું બિલ માફ કર્યું

vartmanpravah

હજુ એક કેસનો ભેદ ઉકેલાયો ત્‍યાં ફરી શુક્રવારે દાદરા નહેર કિનારેથી યુવાનની લાશ મળી આવી: દાદરા નગર હવેલીમાં ગુનાખોરીનું વધી રહેલું પ્રમાણ

vartmanpravah

વલસાડ એમ.આર. એસોસિએશને પડતર માંગણી અંગે લેબર અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યુ

vartmanpravah

Leave a Comment