Vartman Pravah
Breaking Newsદમણ

દમણવાડાની સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો શરૂ થનારો અભ્‍યાસઃ અરજી માટેની છેલ્લી તારીખ27મી સપ્‍ટેમ્‍બર

દમણવાડા સરકારી માધ્‍યમિક શાળામાં ધોરણ 11ના વર્ગ શરૂ કરવાના લીધેલા નિર્ણય બદલ પ્રદેશ ભાજપ મહામંત્રી વાસુભાઈ પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને શિક્ષણ વિભાગનો વ્‍યક્‍ત કરેલો આભાર
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 21
દમણવાડા સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો અભ્‍યાસ શરૂ કરવાની જાહેરાત થતાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. પ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા દમણવાડા સરકારી માધ્‍યમિક શાળામાં ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહ અંગ્રેજી માધ્‍યમના અભ્‍યાસ શરૂ કરવા માટે સ્‍વીકૃતિ પ્રદાન કરી એડમિશન માટેની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એડમિશન ઈચ્‍છતા વિદ્યાર્થીઓએ 27મી સપ્‍ટેમ્‍બર 2021 સુધી પોતાનું આવેદનપત્ર જમા કરવાનું રહેશે.
દમણવાડા સરકારી માધ્‍યમિક શાળામાં ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો અભ્‍યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય લેવાતા પ્રદેશ ભાજપપ્રમુખ શ્રી વાસુભાઈ પટેલે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને શિક્ષણ વિભાગનો આભાર પ્રગટ કર્યો છે.
શ્રી વાસુભાઈ પટેલે વધુમાં જણાવ્‍યું છે કે, દમણવાડા અને તેની આજુબાજુના ગામોના સાધન-સગવડ વગરના પરિવારોના બાળકોને પોતાના ઘરઆંગણેજ ધોરણ 11માં અભ્‍યાસ કરવાની તક મળશે.

Related posts

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી અગામી 19મી મેના રોજ યોજાશે

vartmanpravah

દેશની બહુમતી વસ્‍તીને લોકકળાના સામર્થ્‍ય સાથે જોડી જાગૃત બનાવી શકાય છે : સલોની રાય-હાયર એજ્‍યુકેશન સચિવ

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો

vartmanpravah

ગણદેવી – વાંસદા સહિત જિલ્લામાં આચાર સંહિતાનો અમલ થતા 1542 હોડિંગ અને પેઈન્‍ટીગ દૂર કરાયા

vartmanpravah

મામલતદાર કચેરી ભ્રષ્ટાચારીઓનો અડ્ડો બન્‍યો લો બોલો… સરકારી કચેરીમાં કૃષિપંચની મહિલા નકલ કારકુન રૂા.1,000/- ની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહના સુરંગી વિસ્‍તારમાં અલગ અલગ બેઠકો યોજાઈ

vartmanpravah

Leave a Comment