July 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણવાડાની સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો શરૂ થનારો અભ્‍યાસઃ અરજી માટેની છેલ્લી તારીખ27મી સપ્‍ટેમ્‍બર

દમણવાડા સરકારી માધ્‍યમિક શાળામાં ધોરણ 11ના વર્ગ શરૂ કરવાના લીધેલા નિર્ણય બદલ પ્રદેશ ભાજપ મહામંત્રી વાસુભાઈ પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને શિક્ષણ વિભાગનો વ્‍યક્‍ત કરેલો આભાર
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 21
દમણવાડા સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો અભ્‍યાસ શરૂ કરવાની જાહેરાત થતાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. પ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા દમણવાડા સરકારી માધ્‍યમિક શાળામાં ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહ અંગ્રેજી માધ્‍યમના અભ્‍યાસ શરૂ કરવા માટે સ્‍વીકૃતિ પ્રદાન કરી એડમિશન માટેની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એડમિશન ઈચ્‍છતા વિદ્યાર્થીઓએ 27મી સપ્‍ટેમ્‍બર 2021 સુધી પોતાનું આવેદનપત્ર જમા કરવાનું રહેશે.
દમણવાડા સરકારી માધ્‍યમિક શાળામાં ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો અભ્‍યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય લેવાતા પ્રદેશ ભાજપપ્રમુખ શ્રી વાસુભાઈ પટેલે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને શિક્ષણ વિભાગનો આભાર પ્રગટ કર્યો છે.
શ્રી વાસુભાઈ પટેલે વધુમાં જણાવ્‍યું છે કે, દમણવાડા અને તેની આજુબાજુના ગામોના સાધન-સગવડ વગરના પરિવારોના બાળકોને પોતાના ઘરઆંગણેજ ધોરણ 11માં અભ્‍યાસ કરવાની તક મળશે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ બરકરાર: હવે સંઘપ્રદેશના આકાશને આંબતા વિકાસને કોઈ રોકી નહી શકે

vartmanpravah

વલસાડમાં તા.28 નવેમ્‍બર થી ત્રિદિવસીય રણભૂમિ રમત મહોત્‍સવનો પ્રારંભ થશેઃ તા.23 નવેમ્‍બર સુધી રજિસ્‍ટ્રેશન કરાવી શકાશે

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીની જી.ટી.યુ. ના ટોપ ટેનમાં સિધ્‍ધિ

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણ જિલ્લાનું 71.18 ટકા અને દીવનું 65.48 ટકા પરિણામ

vartmanpravah

પારડી તાલુકાનાગોઈમા ગામે આવનાર પાવર સબ સ્‍ટેશનના વિરોધમાં વધુ ઉગ્ર બનતું આંદોલન

vartmanpravah

વાપી એલજી હરિયા સ્‍કૂલમાં આંતર સ્‍કૂલ પોસ્‍ટર એન્‍ડ પેઇન્‍ટિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment