October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

GNLU સેલવાસ કેમ્‍પસમાં એસસી/એસટી અત્‍યાચાર નિવારણ અધિનિયમ, 1989 પર આઉટરીચ પ્રોગ્રામ સાથે ‘બંધારણ દિવસ’ની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દેશના 75મા ‘બંધારણ દિવસ’ નિમિતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી-સેલવાસ કેમ્‍પસના વિદ્યાર્થીઓએ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા ગુજરાતી માધ્‍યમ અને સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા હિન્‍દી માધ્‍યમ એમ બે સરકારી શાળાઓમાં આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ સત્રોનું ફોકસ એસ.સી./એસ.ટી.અત્‍યાચાર નિવારણ અધિનિયમ, 1989 વિશે જાગૃતિ ફેલાવવા પર હતું
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી સેલવાસ(GNLU) કેમ્‍પસના વિદ્યાર્થીઓએ ‘બંધારણ દિવસ’ના મહત્ત્વ અને બંધારણીય અધિકારો અને મૂળભૂત ફરજો વિશે જાગૃતિ લાવવામાં તેની ભૂમિકા સમજાવી હતી. ત્‍યારબાદ તેઓએ એસ.સી./એસ.ટી. અત્‍યાચાર નિવારણ અધિનિયમ, 1989 પર વિગતવાર સત્ર હાથ ધર્યું હતું, જેમાં પીડિતોના અધિકારો, અદાલતોની જવાબદારીઓ અને ખાસ કરીને એસ.સી./એસ.ટી. સમુદાયની મહિલાઓ માટેના રક્ષણ સહિતની મુખ્‍ય જોગવાઈઓની ચર્ચા કરી હતી. દરમિયાન આ કાયદા હેઠળના કેસોના સંચાલનમાં વિશેષ અદાલતોની ભૂમિકા પર પણ પ્રકાશ પાડવામાં આવ્‍યો હતો. તેઓએ શાળાના વિદ્યાર્થીઓને પ્રેક્‍ટિકલ સમજણ આપવા આ વિષયમાં સીમાચિહ્નરૂપ કોર્ટ ચુકાદાઓની પણ ચર્ચા કરી હતી. GNLUના વિદ્યાર્થીઓએ ઉપસ્‍થિતોને કેમ્‍પસ ખાતે મફત કાનૂની સહાય ક્‍લિનિકનો પરિચય કરાવ્‍યો, જે જરૂરિયાતમંદોને મફત કાનૂની સહાય આપે છે.
આઉટરીચ પ્રોગ્રામનો ઉદ્દેશ્‍ય યુવા દિમાગને બંધારણીય મૂલ્‍યોના મહત્ત્વની સમજણ અને તેમના અધિકારો અને કાયદાકીય સંરક્ષણો વિશે જ્ઞાન દ્વારા તેમને સશક્‍ત કરવાનો હતો.
શાળાના કાર્યક્રમો સાથે GNLU સેલવાસ કેમ્‍પસના વિદ્યાર્થીઓએ કલેક્‍ટર કચેરી ખાતે પણ જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું હતું. જેમાં નાગરિકોમાં બંધારણની પ્રસ્‍તાવના દર્શાવતા પેમ્‍ફલેટ વિતરણ કરવામાં આવ્‍યા હતા અને કલેક્‍ટરશ્રી અને મદદનીશ કલેક્‍ટરશ્રીને બંધારણ પ્રસ્‍તાવનાની ફ્રેમ કરેલી નકલોની ભેટ આપવામાં આવી હતી.

Related posts

નેશનલ પોલીસ એકેડેમી હૈદરાબાદના દિશા-નિર્દેશ હેઠળ દાનહમાં કર્મયોગી પોલીસકર્મીના બે દિવસીય તાલીમ શિબિરનો આરંભ

vartmanpravah

પારડીમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં રૂ.4.864 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 86.70 લાખના કામોનું લોકાર્પણ કરાયું

vartmanpravah

શ્રી રામદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ સરીગામ ભીલાડ દ્વારા ચારભુજાજી રેવાડ યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

ચીખલી તાલુકાના દોણજા ગામે કાવેરી નદી પરનો કોઝવે કમ ચેકડેમ જર્જરિત

vartmanpravah

પારડી વૈજનાથ મહાદેવ મંદિરનો 26મો પાટોત્‍સવ ઉજવાયો

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગનો ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો ભારત સરકાર દ્વારા આયોજીત ‘આરોગ્‍ય મંથન-2023’માં દાનહ અને દમણ-દીવને જન આરોગ્‍ય ક્ષેત્રે કરેલા ઉત્‍કૃષ્‍ટ કાર્ય બદલ બે પુરસ્‍કારોની થયેલી નવાજેશ

vartmanpravah

Leave a Comment