April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

કચીગામ ખાતે ભીખીમાતા અને દૂધીમાતા મંદિરના ત્રીજા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

સવારે કાઢવામાં આવેલી ભવ્‍ય શોભાયાત્રામાં કચીગામના આગેવાન અને દમણ-દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલની રહેલી વિશેષ ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.10 : આજે નાની દમણના કચીગામ ખાતે આવેલ કાશળ ફળીયામાં જય શ્રી ભીખીમતા અને દૂધીમાતા મંદિરના ત્રીજા પટોત્‍સવની ધામધૂમથી અને ભક્‍તિભાવ સાથે ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે યક્ષ પૂજન ત્‍યારબાદમાતાજીની ભવ્‍ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા દમણ-દીવનાં પૂર્વ સાંસદ અને કચીગામના આગેવાન શ્રી લાલુભાઈ પટેલનું શાનદાર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
શોભાયાત્રની સમાપ્તિ પછી મંદિરે માતાજીની આરતી કરવામાં આવી હતી અને માતાજીને ભોગ ચઢાવી મહાપ્રસાદની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્‍યામાં ભાવિકભક્‍તજનોએ આનંદ અને ઉત્‍સાહથી મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Related posts

પારડીમાં સ્‍વાધ્‍યાય મંડળ દ્વારા બાહ્ય આડંબર કે ખોટા ખર્ચાઓ ન કરી ગણેશજીની પ્રતિમાનુંકરાયેલું સ્‍થાપન

vartmanpravah

હસ્‍તકલાને પ્રોત્‍સાહન આપવા દમણ નીફટમાં સેમિનાર યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ રમત અને યુવા વિભાગ દ્વારા સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં ઈન્‍ટર સ્‍કૂલ ‘ટગ ઓફ વોર’ અને ‘લગોરી(ઠીકરીદાવ)’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકાના કનાડુ ગામના ખેડૂત જતિનભાઈ પટેલની સમૃદ્ધિની સફર: ગાય આધારિત પ્રાકળતિક ખેતી દ્વારા મેળવી રહ્યા છે આશરે 40 લાખની વાર્ષીક આવક

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણમાં ‘વિભાજનની ભયાનકતા’ના સ્‍મરણ દિવસ નિમિત્તે યોજાયેલ મૌન રેલી

vartmanpravah

દીવમાં સીબીઆઈએ ‘ખોદ્યો ડુંગર, નીકળ્‍યો ઉંદર?’: ફિશરીઝ અધિકારી સુકર આંજણીના ઘરે સીબીઆઈ દરોડાનો ફલોપ શૉ..!

vartmanpravah

Leave a Comment