Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીની ઠક્કરબાપા કન્યા છાત્રાલય ખાતે પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.10: જેમ જેમ પરીક્ષાઓ નજીક આવતી જાય છે તેમ તેમ વિધાર્થીઓમાં પરિક્ષાનો ડર મનમાં ઘર કરતો જાય છે. પરિક્ષાને લગતી તમામ બાબતો આવરી લેતો સેમીનાર તારીખ 30 નવેમ્બર શનિવારે નવસારીની ઠક્કરબાપા કન્યા છાત્રાલય ખાતે નવસારીનાં પ્રતિષ્ઠિત શિક્ષક ,મોટિવેશનલ સ્પીકર ,શોર્ટ ફિલ્મ મેકર તેમજ ઉમદા તેમજ સહજ વ્યક્તિત્વ ધરાવનાર ચિરાગ ભટ્ટ સર દ્વારા લેવામાં આવ્યો હતો.પરીક્ષા માટેની તૈયારી કઇ રીતે કરવી, અભ્યાસક્રમ તેમજ પરીક્ષાના ડરને ભગાડવા જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. મુંઝાયેલા વિદ્યાર્થીઓને જો યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન મળે તો એનો વિધાર્થીઓ પર ખૂબ સારો પડતો હોય છે.આ સેમિનારનો લાભ ધોરણ 9 થી 12 નાં 135 જેટલા વિદ્યાર્થીઓએ લીધો હતો.બાળકોના મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું.સેમિનારમાં છાત્રાલયના ટ્રસ્ટી શ્રીમતી મીનાક્ષી કરમરકર તેમજ શિક્ષકગણ બાળકોનો ઉત્સાહ વધારવા હાજર રહ્યાં હતાં. ચિરાગ ભટ્ટ સરે સેશનની સફળતા માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આનંદ, સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

રિક્ષામાં દારૂ લઈ જતા ચાલક અને મહિલા કલસર બે માઈલ નજીક ઝડપાયા

vartmanpravah

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ (ડાંગ) દ્વારા ફણસી અને કારેલાંની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 75 ખેડૂતોને પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવાનો થનારો પ્રાયોગિક પ્રયાસ

vartmanpravah

નાની દમણ સમુદ્ર નારાયણ મંદિરની બાજુમાં પતરાની શેડની નીચે, બાકડાની ઉપર અજ્ઞાત વ્‍યક્‍તિની લાશ મળી આવી

vartmanpravah

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનનું ભૂત સામાન્‍ય સભામાં ફરી ધૂણ્‍યું : ડેપ્‍યુટી સરપંચ સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર

vartmanpravah

સમરોલીની પ્રાથમિક શાળાના ઓરડાઓના બાંધકામમાં ગેરરીતિના અખબારી અહેવાલ બાદ જિલ્લા પ્રોજેક્‍ટ કો-ઓર્ડીનેટર દ્વારા એજન્‍સીને પાઠેવેલી નોટિસ 

vartmanpravah

Leave a Comment