April 22, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વરકુંડ મોટા ફળિયા ખાતે સાંઈ બાબા મંદિરનું ખાતમુહૂર્ત યોજાયું

શ્રધ્‍ધા અને સબુરીના વિશ્વાસ સાથે સાંઈ બાબાના ભવ્‍ય મંદિરનો પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ અને આગેવાન નેતા વિશાલભાઈ ટંડેલે પ્રગટ કરેલો ભરોસો વરકુંડ મોટા ફળિયા પ્રગતિ મંડળના અધ્‍યક્ષ હિરાલાલ ભક્‍તિના માર્ગદર્શનમાં થનારૂં સાંઈ મંદિરનું નિર્માણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: ગઈકાલે વરકુંડ ગામ મોટા ફળિયા પ્રગતિ મંડળ દ્વારા ગામમાં આવેલ શ્રી સાંઈ બાબા મંદિરનું ખાતમુહૂર્ત દમણ અને દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ અને આગેવાન નેતા શ્રી વિશાલભાઈ ટંડેલની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં વરકુંડ ગામ મોટા ફળિયા પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી હિરાલાલ ભક્‍તિના નેતૃત્‍વમાં યોજાયેલ કાર્યક્રમમાં દમણ અને દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલે સાંઈ બાબાના ભવ્‍ય મંદિરનો નિર્ધાર વ્‍યક્‍ત કર્યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, સાંઈ બાબા ઉપર શ્રધ્‍ધા રાખો અને સબુરીથી તમારા તમામ કામો પૂર્ણ થશે.
આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્‍થિત રહેલા આગેવાન નેતા શ્રી વિશાલભાઈ ટંડેલે પોતે પણ એક સાંઈ ભક્‍ત હોવાનું જણાવી સાંઈ બાબાના મંદિરના નિર્માણમાં કોઈપણ પ્રકારની તકલીફ નહીં આવશે એવી શ્રધ્‍ધા પ્રગટ કરી હતી.આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી સુનિતાબેન હળપતિ, વરકુંડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કિરીટભાઈ મહેતા, ડો. વિજયભાઈ પટેલ, દમણ શહેર ભાજપના અધ્‍યક્ષ શ્રી પિયુષભાઈ પટેલ, વરકુંડ ગ્રામ પંચાયતના આગેવાન શ્રી નવિનભાઈ કામલી, શ્રી રુદ્રેશ હરિભાઈ ટંડેલ, શ્રી પ્રકાશભાઈ કામલી, શ્રી રમેશભાઈ કામલી સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ ન.પા.ના વોર્ડ નં.7 ખાતે ધાકલીની વાડીના રહેવાસીઓએ વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાનું કરેલું શાનદાર સ્‍વાગત

vartmanpravah

નવસારી લોકસભા મતદાર વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

કરચોંડ જિલ્લા પંચાયતના સભ્‍ય ભગવાન બાતરીએ 120 કાર્યકર્તાઓ સાથે વિધાનસભા જોવા ગાંધીનગરની મુલાકાતે

vartmanpravah

દાનહ બ્રાહ્મણ સેવા સમિતિમાં રૂા.75 લાખની થયેલી ગોબાચારી : સંઘપ્રદેશ પ્રશાસન તથા સેલવાસ અને ગુજરાત પોલીસને કરાયેલી ફરિયાદ

vartmanpravah

દાનહના મસાટ ગ્રા.પં.ની વિવિધ સમસ્‍યાથી જિ.પં. પ્રમુખ નિશા ભવરને રૂબરૂ કરાયા

vartmanpravah

તા.10 થી 17 ફેબ્રુઆરી દરમિયાન કૃમિનાશક સપ્‍તાહની ઉજવણી કરવામાં આવશે

vartmanpravah

Leave a Comment