March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની શાકમાર્કેટનાં પ્રશ્ને લોકદરબાર બોલાવવાની કલેકટર સમક્ષ માંગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: વલસાડ નગરપાલિકા દ્વારા સવા વર્ષ પહેલાં જમીનદોસ્‍ત કરવામાં આવેલ શાકમાર્કેટનાં લારી-પાથરણાંવાળાઓને કયાં બેસાડવા એટલે કે હંગામી ધોરણે શાકમાર્કેટ કયાં ગોઠવવી એનું આયોજન કરવામાં વલસાડ નગરપાલિકા સરેઆમ નિષ્‍ફળ ગયેલી છે. જેને ધ્‍યાનમાં રાખીને અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠનનાં પ્રદેશ ઉપપ્રમુખ અને વલસાડ જિલ્લા ભાજપના અન્‍ય ભાષા ભાષી સેલનાં જિલ્લા સંયોજકવિજય ગોયલે લોકદરબાર બોલાવી વલસાડ પંથકના અગ્રણીઓ જોડે ચર્ચા કરવા અનુરોધ કર્યો છે અને સમાધાનનો આશાવાદ વ્‍યક્‍ત કર્યો છે.
વિજય ગોયલે કલેકટર વલસાડને શાકમાર્કેટની સ્‍થિતિ અંગે લેખિતમાં જણાવ્‍યું છે કે 1980-81 દરમિયાન ત્‍યારનાં નગરપાલિકાના શાસકોએ વલસાડ શહેરના હિતને ધ્‍યાનમાં રાખીને શાકમાર્કેટની ઐતિહાસિક ઇમારત બનાવી હતી. અને શાકમાર્કેટની ઈમારતને ભારતના પૂર્વ વડાપ્રધાનનું નામ ‘‘મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ એન્‍ડ શોપિંગ સેન્‍ટર” આપેલ હતું. જેનો લાભ વલસાડ શહેર ઉપરાંત આસપાસના વિસ્‍તારોનાં રહીશોએ વિપુલ પ્રમાણમાં ઉઠાવ્‍યો હતો. આ ઐતિહાસિક ઇમારતનું માવજત સમય સમયે કરવામાં નગરપાલિકા દ્વારા ન કરવાને કારણે ઈમારત જર્જરિત હાલતમાં આવી જતાં એને નગરપાલિકા દ્વારા જમીનદોસ્‍ત કરવામાં આવી હતી.
જમીનદોસ્‍ત કરવાનાં સવાવર્ષે પણ વલસાડ નગરપાલિકા હંગામી શાકમાર્કેટનું આયોજન કરવામાં નિષ્‍ફળ ગયેલી છે. માટે ભારતનાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની નીતિ મુજબ જટિલ પ્રશ્નોનાં નિવારણ માટે લોકદરબારનું આયોજન કરવાની માંગણી કરવામાં આવી છે.

Related posts

આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી નવસારીના વાંસી- બોરસી ખાતે પીએમ મિત્ર પાર્કનું ખાત મુહૂર્ત કરશે

vartmanpravah

-સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં અને શિક્ષણ નિર્દેશક જતિન ગોયલના માર્ગદર્શન હેઠળ દાનહ સમગ્ર શિક્ષા દ્વારા ‘સમાવેશી શિક્ષણ’ અંતર્ગત ‘પર્યાવરણ નિર્માણ કાર્યક્રમ’ યોજાયો

vartmanpravah

લોરેન્‍સ બિશ્‍નોઈના માથા માટે 11 લાખનું ઈનામ જાહેર કરનાર કરણી સેનાના અધ્‍યક્ષ ડો.રાજ શેખાવત વાપીમાં

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં ઇન્‍ટર હાઉસ ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સમરોલી સ્‍થિત પૌરાણિક ફુલદેવી માતાના મંદિરનો 26મો પાટોત્‍સવ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાયો

vartmanpravah

કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્‍તે પાયલોટ પ્રોજેક્‍ટ તરીકે વાપીથી રાજ્‍યના 12 જીએસટી સેવા કેન્‍દ્રનું ઈ-લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment