July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ડેપોએ મોરખલ, દાબખલના પાસ બંધ કરી દેતા સેલવાસ નોકરી જતા સેંકડો કર્મચારીઓ મુશ્‍કેલીમાં મુકાયા

પ્રાંત અને એસટી નિયામકને ઉચ્‍ચ રજૂઆત : 15 વર્ષથી પાસ ચાલુ હતા બંધ થતા મામલો ઉગ્ર બન્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: આજરોજ તા. 23/12/2024 ના દિને અગાઉ જે 14/12/2024 ના દિને ધરમપુર ડેપોથી મોરખલ, દાબખલ સુધી અગાઉ જે પાસ કાઢી આપતાં હતા તે બંધ કરી દેતા આશરે 500 કર્મચારીઓને તખલીફ પડતી હોઈ જે ફરિ ચાલુ કરવા માટે ધરમપુર ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી. જેનું નિરાકરણ ન આવતા આજરોજ પ્રાંત અધિકારી શ્રી ધરમપુર, નિયામક શ્રી વલસાડ, ડેપો મેનેજરશ્રી ધરમપુરને મોટી સંખ્‍યામાં કર્મચારીઓ સાથે ડૉ.બાબા સાહેબ આંબેડકરને હાર-દોરા કરી અને રજૂઆત કરવામાં આવી હતી.
ધરમપુર ખાતેથી આશરે 500 થી વધારે કર્મચારીઓ સેલવાસ ખાતે કંપનીમાં પોતાની નોકરી અર્થે જતા કર્મચારીઓ હાલે ગુજરાત સુધી પાસ ચાલે છે અને ત્‍યાંથી આગળ જવું હોય તો ટિકિટ લઈને જવું એ કેટલું. યોગ્‍ય કારણ કે છેલ્લા 15 વર્ષથી ગુજરાત થી સેલવાસ સુધી પાસ ચાલતા આવેલ છે અને હાલ એ બંધ કરી દેવાતા કર્મચારીઓને માથે વધારાનો ચાર્જ ગુજરાતની હદ પૂરી થાય ત્‍યાંથી સાઈલી સુધીના આવવા જવાના 44 રૂપિયા44 રૂપિયા એટલે મહિનાના 1344 થાય, ગુજરાતની હદ પૂરી થયા બાદ દપાડા સુધી આવવા જવાના 56 રૂપિયા એટલે મહિનાના ટોટલ 1568 રૂપિયા વધારાના ચૂકવવાનો વારો આવતો હોય છે અને જે બાબતે આજે ડેપો મેનેજરને પૂછવામાં આવ્‍યું કે કોઈ પરિપત્ર સરકારનો હોય તો બતાવો. તો એમના દ્વારા જવાબ આપવામાં આવે છે કે અમને ફક્‍ત મૌખિક સૂચના આપવામાં આવી છે એ કેટલા અંશ યોગ્‍ય કહેવાય.
જેથી તાત્‍કાલિક ધરમપુર ડેપોથી મોરખલ, દપાડા સુધી પાસ ન કાઢી આપવામાં આવ્‍યા તો આ તમામ કર્મચારીઓ સાથે આગામી દિવસોમાં બસ રોકાણ આંદોલન કરવાની ફરજ પડશે ની રજૂઆત મોટી કર્મચારીઓ સાથે કરવામાં આવી હતી.

Related posts

દમણ-દાનહમાં સતત વરસી રહેલો ધોધમાર વરસાદઃ દાનહમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

vartmanpravah

સરીગામની વેન પેટ્રોકેમ એન્‍ડ ફાર્મા કંપનીની મોટી હોનારતમાં એનજીટીનો હુકમ: મૃતકોને રૂા.20 લાખ અને ઈજાગ્રસ્‍તોને રૂા.10 લાખના વળતર ચુકવણીના આદેશથી પરિવારોને મળેલી આંશિક રાહતઃ જીપીસીબીને નોટિસની ફટકાર

vartmanpravah

દાદરાની ગ્રોવર ઍન્ડ વેલ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં રક્તદાન શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલી વન વિભાગની તાબાના ગામોમાં ખેર સાગના વળક્ષો કાપવાના તુમારને મંજૂરી નહી મળતા ખેડૂતો અને કોન્ટ્રાક્ટરોમાં રોષ

vartmanpravah

પ્રશાસકપ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં કચીગામ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ: જીએસટી અધિકારીઓએ ગ્રામજનોને સરળ ભાષામાં બતાવેલી જીએસટી રજીસ્‍ટ્રેશનની પ્રક્રિયા

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીની જી.ટી.યુ. ના ટોપ ટેનમાં સિધ્‍ધિ

vartmanpravah

Leave a Comment