April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લક્ષદ્વીપના ઓલરાઉન્‍ડ વિકાસથી કેન્‍દ્રિય વિજળી અને આવાસ તથા શહેરી વિકાસ મંત્રી મનોહર લાલ ખટ્ટર પ્રભાવિત

કેન્‍દ્રિય મંત્રી મનોહર લાલ ખટ્ટરે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં લક્ષદ્વીપ ખાતે ઊર્જા અને શહેરી વિકાસ પરિયોજનાઓના સંદર્ભમાં આયોજીત સમીક્ષા બેઠકમાં પણ રજૂ કરેલા પોતાના વિચારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના બે દિવસીય પ્રવાસ ઉપર આવેલ ભારત સરકારના વિજળી અને આવાસ તથાશહેરી વિકાસના કેન્‍દ્રિય મંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટરનું આજે કવરત્તી ખાતે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું.
આજે કેન્‍દ્રિય મંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટરની ઉપસ્‍થિતિમાં લક્ષદ્વીપમાં ચાલી રહેલ ઊર્જા અને શહેરી વિકાસ પરિયોજનાઓના સંદર્ભમાં એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં શહેરી વિકાસ અને ઊર્જા મામલે વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના થઈ રહેલા ઓલરાઉન્‍ડ વિકાસથી કેન્‍દ્રિય મંત્રીશ્રીએ પ્રસન્નતા અને સંતુષ્‍ટિ પણ વ્‍યક્‍ત કરી હતી.

Related posts

પ્રધાનમંત્રી શ્રી મોદીએ જમ્મુ અને કાશ્મીરના નૌશેરા જિલ્લામાં ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકો સાથે દિવાળી ઉજવી

vartmanpravah

..તો ડેલકર પરિવાર માટે 2024ની ચૂંટણી લડવી અને જીતવી સરળ નહીં રહે..!

vartmanpravah

બગવાડા ટોલનાકા ઉપર અજાણ્‍યા વાહનની ટક્કર લાગતા પારડીના યુવાનની કાર ટોલ રેટ બોર્ડમાં ઘૂસી ગઈ

vartmanpravah

લોકસભાની દમણ અને દીવ બેઠકનું પરિણામ 4થી જૂને 12:30 વાગ્‍યા સુધીમાં જાહેર થવાની સંભાવના

vartmanpravah

ચીખલીના સાદકપોરની આંબાવાડીમાં માદા અજગર ઈંડાઓનું સેવન કરતી જોવા મળતા લોકોમાં ગભરાટ

vartmanpravah

હિંગળાજ ગામે ખાડી કિનારે બોટમાંથી દારૂનો જથ્‍થો ઝડપાયો : ત્રણ ફરાર

vartmanpravah

Leave a Comment