Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના ખેરલાવમાં લગ્નના પાંચ દિવસ પહેલા કન્‍યા સહિત માતા અને નાની બહેન રહસ્‍યમય રીતે લાપતા

બ્‍યુટી પાર્લરમાં જવાનું કહી માતા સહિત બંને બહેનો ઘરે પરત ન ફરતા પિતાએ નોંધાવી ગુમ થયાની ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.24: પારડી તાલુકાના ખેરલાવ સામર ફળિયા ખાતે અજીબો ગરીબ રહસ્‍યમય કિસ્‍સો બહાર આવવા પામ્‍યો છે. ખેરલાવ સામર ફળિયામાં રહેતા રસિકભાઈની ત્રણ દીકરીઓ પૈકી વચલી દીકરી હિરલના લગ્ન અંભેટી ખાતે રહેતા એક યુવક સાથે નક્કી થયા હતા અને આજથી પાંચ દિવસ બાદતારીખ 27-05-2023 ના રોજ લગ્ન લેવાના હોય તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. તારીખ 25-05-2023 ના રોજ ચાંદલાની વિધિ હોય પિતા રસિકભાઈ હોંસે હોંસે મંડપ બાંધવાની તૈયારી કરી રહ્યા હતા અને એ જ સમયે માતા મંજુલા તથા બંને દીકરી હિરલ અને સાલીની ત્રણેય પિતા રસિકભાઈને અંબાચ બ્‍યુટી પાર્લરમાં જઈએ છીએ કહી ઘરેથી નીકળી હતી.
સાંજ થવા છતાં ત્રણેય માતા પુત્રીઓ ઘરે પરત ના ફરતા પિતા રસિકભાઈએ પુત્રી હિરલને મોબાઈલ ફોન કરતા તેનો ફોન પણ સ્‍વીચ ઓફ આવતા કંઈક અજુકતું બન્‍યું હોવાનું સમજી સમગ્ર લગ્નનો માહોલ ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો અને કુટુંબીઓ માતા અને બે પુત્રીઓને શોધવામાં જોડાયા હતા. બે દિવસ અનેક જગ્‍યાએ સગા સંબંધીઓના ઘરે શોધી થાકયા બાદ પિતા રસિકભાઈએ આજે પારડી પોલીસ સ્‍ટેશન આવી પત્‍ની અને બે પુત્રીઓ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર બનાવમાં એક લાચાર પિતા અને પતિની વ્‍યથા સામે આવી છે. લાચાર પિતા અને પતિ અનેક કપરી પરિસ્‍થિતિઓનો સામનો કરી રહ્યા છે. પોતાની પત્‍ની સહિત બંને દીકરીઓ પરત ન ફરતા મનમાં અનેક વિચારોને લઈ તેઓને પત્‍ની સહિત બંને દીકરીઓની ચિંતા સતાવી રહી છે, સાથે સાથે સમાજમાં પોતાની ઈજ્જત પણ ગઈ હોવાનો ડર લાગી રહ્યો છે અને આવા સંજોગોમાં જેમનીસાથે પુત્રીના લગ્ન લેવાના હતા એવા નવા બનનાર જમાઈ અને વેવાઈઓને પણ શું જવાબ આપીએ’ની કસમક્‍સ વચ્‍ચે એક લાચાર પિતા અને પતિ હાલમાં તો પોલીસ સ્‍ટેશને પોતાની પત્‍ની અને બંને દીકરીઓની ગુમ થવાની ફરિયાદ નોંધાવી રહ્યા છે.

Related posts

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના દાનહ-દમણ-દીવ પ્રદેશના પ્રભારી વરુણ ઝવેરીએ લીધી મુલાકાત

vartmanpravah

દાનહ: દપાડા પંચાયત દ્વારા ‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાન અંતર્ગત ડસ્‍ટબીન વિતરણ કરાઈ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કીટનું કરાયેલું વિતરણઃ વિદ્યાર્થીઓને પાઠવેલી શુભકામના

vartmanpravah

દેશની બહુમતી વસ્‍તીને લોકકળાના સામર્થ્‍ય સાથે જોડી જાગૃત બનાવી શકાય છે : સલોની રાય-હાયર એજ્‍યુકેશન સચિવ

vartmanpravah

દમણ કોસ્‍ટગાર્ડના ડીઆઈજી એસ.એસ.એન. વાજપેયીને દિલીપનગર ડેવલપમેન્‍ટ એસોસિએશન દ્વારા આપવામાં આવી રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ

vartmanpravah

દાનહઃ સામરવરણી નહેરમાંથી તણાયેલી બાળકીની લાશ મળી આવી

vartmanpravah

Leave a Comment