March 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજે દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં સત્‍ય નારાયણ ભગવાનની મહાપૂજા અને દમણવાડા હાયર સેકન્‍ડરી શાળાના શિક્ષકોનો સન્‍માન સમારંભ

સ્‍વામી નારાયણ સંસ્‍થાના સંત ચિન્‍મય સ્‍વામીના મુખ્‍ય અતિથિ પદે યોજાનારા સમારંભમાં અતિથિ વિશેષ તરીકે પ્રસિદ્ધ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાની અને દમણના બી.ડી.ઓ. મિહિર જોષીની રહેનારી ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આવતી કાલે શ્રી સત્‍ય નારાયણ ભગવાનની મહાપૂજા અને છેલ્લા પાંચ વર્ષથી સતત 100 ટકા પરિણામ લાવનારી દમણવાડા હાયર સેકન્‍ડરી સ્‍કૂલના પ્રિન્‍સિપાલ અને શિક્ષકોના સન્‍માન સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્‍વામી નારાયણ સંસ્‍થાના સંત શ્રી ચિન્‍મય સ્‍વામી અને અતિથિ વિશેષ તરીકે આંતરરાષ્‍ટ્રીય કથાકાર અને ભાગવતાચાર્ય શ્રી મેહુલભાઈ જાની બાપુ તથા દમણના બી.ડી.ઓ. શ્રી મિહિરભાઈ જોષી ઉપસ્‍થિત રહેશે.
આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના નવનિયુક્‍ત પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી મહેશભાઈ આગરિયાની પણ ગરિમામયી ઉપસ્‍થિતિ રહેવાની હોવાનું જાણવા મળે છે.
અત્રે યાદ રહે કે, દમણવાડા ગ્રામ પંચાયતે છેલ્લા પાંચ વર્ષમાં પોતાની પંચાયત વિસ્‍તારમાં શિક્ષણ દ્વારાસમાજ ઘડતર અને સંસ્‍કારના સિંચન માટે અનેક કામ કર્યા છે.

Related posts

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પ્રિ- પ્રાયમરીના નાના ભુલકાઓનો પતંગોત્‍સવ ઉજવાયો

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

ભાજપા યુવા મોરચા એક્ઝિક્યુટિવ સભ્‍ય સિદ્ધાર્થ શુક્‍લાએ દાનહના વિવિધ પ્રશ્નો અંગે આરડીસીને કરેલી રજૂઆત

vartmanpravah

દમણમાં જાહેર બાંધકામ વિભાગની ઉદાસિનતા અને લાપરવાહીથી દર વર્ષે ઉનાળામાં થતો પાણીનો કકળાટ

vartmanpravah

ખતલવાડમાં બનવા પામેલી ચેઈન સ્‍નેચિંગની ઘટના

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અભિયાન શાળા પ્રવેશોત્‍સવ

vartmanpravah

Leave a Comment