Vartman Pravah
સેલવાસ

ડેલકર પરિવારે શિવસેનાની બાંધેલીકંઠીથી દાનહમાં મિશ્ર પ્રત્‍યાઘાતઃ જનતાદળ(યુ)ના બેનર હેઠળ વિજેતા બનેલા જિ.પં.સભ્‍યો અને કાઉન્‍સિલરોની સ્‍થિતિ કફોડી

  • હવે ડેલકર પરિવાર માટે શિવસેના પણ આખરી મુકામ હશે કે કેમ? પૂછાતો પ્રશ્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08
ડેલકર પરિવારે શિવસેનાની બાંધેલી કંઠીથી દાદરા નગર હવેલીમાં મિશ્ર પ્રત્‍યાઘાતો પડી રહ્યા છે અને માંડ એક વર્ષમાં બદલેલી બીજી પાર્ટીથી જનતાદળ(યુ)ના બેનર હેઠળ વિજેતા બનેલા જિ.પં.સભ્‍યો અને કાઉન્‍સિલરોની સ્‍થિતિ કફોડી બનવા પામી છે.
ગયા વર્ષે 2020ના નવેમ્‍બરમાં યોજાયેલ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકાની ચૂંટણીમાં તત્‍કાલિન સાંસદ સ્‍વ. મોહનભાઈ ડેલકરે જનતાદળ(યુ)નું શરણું લઈ તેમના પ્રતિક ઉપર ચૂંટણી લડયા હતા. મોહનભાઈ ડેલકરના આકસ્‍મિક નિધન બાદ ડેલકર પરિવારે જનતાદળ(યુ)ને વિશ્વાસમાં લીધા વગર હવે શિવસેનાની બાંધેલી કંઠીથી ચૂંટાયેલા સભ્‍યો ઉપરાંત સામાન્‍ય લોકોમાં પણ શંકા-કુશંકા પેદા થઈ રહી છે. કારણ કે, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્‍યો અને કાઉન્‍સિલરોના સ્‍વાભિમાન ઉપર પણ ઠેસ પહોંચી રહી છે. હવે શિવસેના પણ આખરી મુકામ હશે કે કેમ? એ સમય અને સંજોગ બતાવશે એવું આકલન પણ વ્‍યક્‍ત થઈ રહ્યું છે.

Related posts

દીવના મહેમાન બનેલા G-20ના પ્રતિનિધિ મંડળે ગુજરાતના ગીરના દેવળિયા લાયન પાર્કની લીધેલી મુલાકાત

vartmanpravah

આદિવાસી એકતા પરિષદ દ્વારા દાનહ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા આદિવાસી સમુદાયને હેરાન કરવાના મુદ્દે કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

સેલવાસ મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરાયું

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્‍યક્ષતામાં દાનહના સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં વિશાળ લાભાર્થી જનસભા યોજાઈ : પ્રધાનમંત્રી મોદીની ગેરંટી એટલે કામ 100 ટકા પૂર્ણ કરવાનું વચનઃ અમિતભાઈ શાહ

vartmanpravah

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન દ્વારા લેવાયેલ પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલનું ધોરણ 10નું 99.4 ટકા પરિણામ

vartmanpravah

‘આયુષ્‍માન ભવઃ’ કાર્યક્રમ અંતર્ગત સંપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં કુપોષણની નાબૂદી માટે આરોગ્‍ય સલાહકાર ડૉ. વી.કે.દાસના નેતૃત્‍વમાં યોજાયેલી તાલીમ શિબિર

vartmanpravah

Leave a Comment