June 13, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

કોંગ્રેસ સાથે વફાદારીપૂર્વક અત્‍યાર સુધી રહ્યા હોત તો પ્રદેશને ક્‍યારનીય વિધાનસભાની ભેટ મળી હોતઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

  • શિવસેના દ્વારા જારી ઘોષણા પત્રને લોકોને ગુમરાહ કરનારો ગણાવતું કોંગ્રેસ

  • દગાખોરીની અપનાવેલી રાજનીતિના કારણે જ ફક્‍ત દાનહની જનતાને જ નહીં પરંતુ પોતાને પણ થયેલું અક્ષમ્‍ય નુકસાનઃ દાનહ કોંગ્રેસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22
લોકસભાની દાદરા નગર હવેલી બેઠક માટે શિવસેના દ્વારા જાહેર કરવામાં આવેલ ઘોષણા પત્રને જનતાનો નહીં પરંતુ પ્રદેશની જનતાને ગુમરાહ કરનાર ઘોષણા પત્ર હોવાનો પ્રદેશ કોંગ્રેસે દાવો કર્યો હતો.
દાનહ કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્માએ યાદ અપાવતા જણાવ્‍યું હતું કે, સતત 20 વર્ષ સુધી સંસદમાં દાદરા નગર હવેલીનું પ્રતિનિધિત્‍વ કરનારા સ્‍વ. સાંસદ મોહનભાઈ ડેલકરે પોતાના કાર્યકાળ દરમિયાન શા માટે વિધાનસભાના ગઠન અંગે પ્રાઈવેટ બિલ લાવવાની હિંમત નહીં કરી? પડોશના દમણ-દીવના તત્‍કાલિન કોંગ્રેસી સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલે લોકસભામાં વિધાનસભા ગઠન અંગે પ્રાઈવેટ બિલ લાવવાની હિંમત કરી હતી તો તે સમયે દાદરા નગર હવેલીના સાંસદે શા માટે સમર્થન નહીં આપ્‍યું હતું?
દાનહ કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્માએ ભારપૂર્વકજણાવ્‍યું હતું કે, કોંગ્રેસ સાથે વફાદારી પૂર્વક અત્‍યાર સુધી રહ્યા હોત તો દાદરા નગર હવેલીમાં ક્‍યારનીય વિધાનસભા આવી ગઈ હોત. તેમણે પંચાયતી રાજનું દૃષ્‍ટાંત આપતા જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલી ખાતે કોંગ્રેસના રાજમાં જ પંચાયતોનો સુવર્ણ કાળ હતો. પરંતુ દગાખોરીની અપનાવેલી રાજનીતિના કારણે જ ફક્‍ત દાદરા નગર હવેલીની જનતાને જ નહીં પરંતુ પોતાને પણ અક્ષમ્‍ય નુકસાન થયું હોવાનો દાવો દાનહ કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્માએ કર્યો છે.

Related posts

વાપીમાં નાર્કોટિક્‍સના ગુનામાં ઝડપાયેલ એનસીબીએ સીલ કરેલ કંપનીમાં પ્રવેશ, પુરાવા સાથે ચેડા?

vartmanpravah

દમણની સાર્વજનિક શાળામાં શિક્ષક દિવસની ઉત્‍સાહભેર કરાયેલી ઉજવણી શિક્ષકો આપણને માત્ર શિક્ષણ જ આપતા નથી, પરંતુ જીવન જીવવાનો સાચો માર્ગ પણ બતાવે છેઃ જીજ્ઞેશ જોગી-દમણ સાર્વજનિક વિદ્યાલયના ચેરમેન

vartmanpravah

ધરમપુર વન વિભાગ દ્વારા ગ્રામજનોને જંગલી જાનવરો અને સાપ અંગે પ્રોજેક્‍ટર દ્વારા માહિતી અપાઈ

vartmanpravah

મજીગામમાં ગણેશ મહોત્‍સવમાં ‘મજીગામના રાજા’ મંડળને સ્‍થાનિક સેવાભાવી પરિવાર દ્વારા સોના-ચાંદીની વરખવાળા પગ અર્પણ કરાયા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ ઇંચથી વધુ નોંધાયેલો વરસાદ

vartmanpravah

એંઠવાડો ઉલેચી કચરો કે પ્લાસ્ટિક ખાતી, રઝળતી અને કત્તલખાને કપાતી ગાયનું રક્ષણ કરવું એ દરેક ભારતીય નાગરિકની ફરજ છે

vartmanpravah

Leave a Comment