September 1, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કરાયેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26
દાદરા નગર હવેલીની લોકસભાની પેટા ચૂંટણી 30મી ઓક્‍ટોબરના રોજ યોજાનાર છે જે સંદર્ભે મુખ્‍ય ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.રાકેશ મિન્‍હાસે જણાવ્‍યું છે કે પ્રદેશમાં ગ્રામ્‍ય વિસ્‍તાર કરતા શહેરી વિસ્‍તારમાં ઓછુ એટલે કે 60થી 70ટકા મતદાન થાય છે.
મતદાનના દિવસે કંપનીઓમા અને ખાનગી સંસ્‍થાઓમાં જાહેર રજા આપવામા આવે છે જેથી દરેકે ઘરેથી બહાર મતદાન કરવા નીકળવાની જરૂર છે 90 ટકાથી વધુ મતદાન થવું જરૂરી છે. રજા મળે એટલે પરિવાર સાથે ફરવા નીકળવાના હોય તો પહેલા મતદાન કર્યાં બાદ ફરવા જઈ શકો છો.
મતદાનનો સમય સવારે 7:00 વાગ્‍યાથી સાંજના 7:00 વાગ્‍યા સુધીનો રાખવામા આવ્‍યો છે. દરેક બુથ પર કોવીડ-19ના નિયમ અનુસાર માસ્‍કઆપવામા આવશે. સોશિયલ ડિસ્‍ટન્‍સ માટે કુંડાળા બનાવવામા આવ્‍યા છે વોટિંગ માટે હેન્‍ડ સેનિટાઇઝ કર્યા બાદ હેન્‍ડ ગ્‍લોવ્‍ઝ આપવામાં આવશે.
દિવ્‍યાંગ લોકો માટે વ્‍હીલચેરની પણ સુવિધા રાખવામાં આવી છે. મતદાન માટે નવા 18 વર્ષથી ઉપરના મતદાતાઓથી લઈ સીનીયર સીટીઝન સહિત દરેક મતદાન કરવા માટે ઉત્‍સાહપૂર્વક આગળ આવે અને કોઈપણ જાતનો ડર રાખ્‍યા વિના મતદાન કરવા માટે આગળ આવવા માટે અપીલ કરવામા આવી છે.

Related posts

આજથી શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા સોમનાથ ભવન ભેંસરોડ ખાતે શ્રીમદ્‌ ભાગવત કથા યોજાશે

vartmanpravah

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિમાં ભગવાન શિવના જયઘોષ સાથે શિવની કથાને વિરામ અપાયો

vartmanpravah

પવિત્ર શ્રાવણ માસનાં પહેલા સોમવારે શિવાલયો ભક્‍તોથી ઉભરાયા: ચીખલી-બીલીમોરાના શિવમંદિરો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્‍યા

vartmanpravah

જે પિતૃનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું તે અતૃપ્ત અવસ્‍થામાં પાછા જાય છે અને મનોમન ઉદાસ બની જાય છે તેનું વિપરીત પરિણામ કુટુંબને ભોગવવું પડતું હોય છે

vartmanpravah

દાનહઃ દપાડા પટેલાદમાં યોજાયેલા ‘પ્રશાસન આપકે દ્વાર’ કાર્યક્રમમાં કુલ 1621 અરજીઓમાંથી 458 લાભાર્થીઓને પુરી પાડવામાં આવેલી સેવા

vartmanpravah

કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના હસ્‍તે કોલવેરા ગામે વન કુટીર અને સેલ્‍ફી પોઈન્‍ટનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

Leave a Comment