July 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવે દમણવાડા પંચાયતના નંદઘરની લીધેલી મુલાકાતઃ નંદઘર નિહાળી પ્રભાવિત બનેલા મંત્રી

  • દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીએ મંત્રી અશ્વિની વૈષ્‍ણવનું કરેલું અભિવાદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29
આજે કેન્‍દ્રના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવે દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયના પરિસરમાં આવેલ નંદઘરની મુલાકાત લીધી હતી. જ્‍યાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવનું પુષ્‍પગુચ્‍છ આપી અભિવાદન કર્યું હતું.
નંદઘરને નિહાળી રેલવે મંત્રી ખુબ જ પ્રભાવિત થયા હતા. તેમણે ઉપસ્‍થિત બાળકો સાથે પણ પ્રેમ અને વાત્‍સલ્‍યથી વાતચીત કરી હતી. પ્રદેશના સમાજ કલ્‍યાણ સચિવ શ્રીમતી પૂજા જૈને પણ મંત્રીશ્રીને વિગતવાર માહિતી પ્રદાન કરી હતી. આ પ્રસંગે સમાજ કલ્‍યાણ વિભાગના નિર્દેશક શ્રી જતિન ગોયલે જરૂરી વ્‍યવસ્‍થા કરી હતી.
રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવ સાથે પ્રદેશના જિલ્લા કલેક્‍ટર અને નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
દરમિયાન મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવે પ્રધાનમંત્રી આવાસ યોજના અને પરપ્રાંતિય કામદારો માટે બનાવવામાં આવેલ ‘સ્‍પર્શ’ કોલોનીની પણ મુલાકાત લીધી હતી.

Related posts

કપરાડાના શ્રમિક યુવકનું ધગડમાળમાં અકસ્‍માત: અંધારામાં લાઈટ વિના રોંગ સાઇડે પાર્ક કરેલ ટ્રકમાં બાઈક ઘૂસી જતાં ચાલકનું મોત

vartmanpravah

બાળ કલ્‍યાણ સમિતિ અને કિશોર ન્‍યાય બોર્ડ, દીવ દ્વારા કોવિડ મહામારી દરમ્‍યાન પોતાના બંને માતા-પિતા ગુમાવનાર વણાકબારાના ચાર અનાથ બાળકોના વાર્ષિક મકાન ભાડા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી

vartmanpravah

આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન, વાપી દ્વારા આંતર કોલેજ વ્‍યાખ્‍યાન માળા અંતર્ગત વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

જિલ્લાની આશ્રમશાળાના શિક્ષકો અને સેવાભાવી સંસ્‍થાઓના 120 કાર્યકરોએ ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ તાલીમ મેળવી

vartmanpravah

ધોડીપાડા ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો સાતમો સર્વજાતિ સમૂહલગ્નોત્સવ: ૫૫ યુગલોએ પાડેલા પ્રભુતામાં પગલાં

vartmanpravah

દાનહ અને દમણમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન : ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ

vartmanpravah

Leave a Comment