April 25, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવે દમણવાડા પંચાયતના નંદઘરની લીધેલી મુલાકાતઃ નંદઘર નિહાળી પ્રભાવિત બનેલા મંત્રી

  • દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીએ મંત્રી અશ્વિની વૈષ્‍ણવનું કરેલું અભિવાદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29
આજે કેન્‍દ્રના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવે દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયના પરિસરમાં આવેલ નંદઘરની મુલાકાત લીધી હતી. જ્‍યાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવનું પુષ્‍પગુચ્‍છ આપી અભિવાદન કર્યું હતું.
નંદઘરને નિહાળી રેલવે મંત્રી ખુબ જ પ્રભાવિત થયા હતા. તેમણે ઉપસ્‍થિત બાળકો સાથે પણ પ્રેમ અને વાત્‍સલ્‍યથી વાતચીત કરી હતી. પ્રદેશના સમાજ કલ્‍યાણ સચિવ શ્રીમતી પૂજા જૈને પણ મંત્રીશ્રીને વિગતવાર માહિતી પ્રદાન કરી હતી. આ પ્રસંગે સમાજ કલ્‍યાણ વિભાગના નિર્દેશક શ્રી જતિન ગોયલે જરૂરી વ્‍યવસ્‍થા કરી હતી.
રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવ સાથે પ્રદેશના જિલ્લા કલેક્‍ટર અને નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
દરમિયાન મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવે પ્રધાનમંત્રી આવાસ યોજના અને પરપ્રાંતિય કામદારો માટે બનાવવામાં આવેલ ‘સ્‍પર્શ’ કોલોનીની પણ મુલાકાત લીધી હતી.

Related posts

વાપીને વધુ એક ટ્રેન સ્‍ટોપેજ મળ્‍યું : ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેન વાપીમાં થોભશે

vartmanpravah

વાપી રેલવે ઓવરબ્રિજ ઉપર રિક્ષા અને ટેમ્‍પો વચ્‍ચે અકસ્‍માત : એક ઘાયલ : કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ટ્રાફિક જાહેરનામુ ઓડ-ઈવનનો છેદ ઉડી રહ્યો છે : વાહનોનું આડેધડ પાર્કિંગ

vartmanpravah

ભારતના ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકયા નાયડુ સહપરિવાર લક્ષદ્વીપની મુલાકાતે : ઉષ્‍માભેર અભિવાદન

vartmanpravah

નાની દમણના ત્રણબત્તી ટાવરની અને બામણપૂજા સર્કલ પરની બંધ પડેલ જમીન ઘડિયાળ પ્રદેશના વિકાસ માટે અશુભ સંકેતઃ યુવા નેતા તનોજ પટેલ 

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને બાર એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે દમણ કોર્ટમાં ‘વિશ્વ ન્‍યાય દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment